Site icon

વાહ! રેલ્વેએ લોકડાઉનનો ફાયદો ઉઠાવી મુંબઈ માં આટલા બ્રીજ બાંધી કર્યું સૌથી સારું કામ.. જાણો વિસ્તૃત વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

05 નવેમ્બર 2020

છેલ્લા સાત મહિનામાં લોકડાઉનનો લાભ લઈ પશ્ચિમ રેલ્વે, મધ્ય રેલ્વે અને મુંબઇ રેલ વિકાસ નિગમે મુંબઈ વિભાગમાં 19 ફૂટ ઓવર બ્રિજ બનાવ્યા. તેમાંથી, 14 ફૂટ ઓવર બ્રિજ વેસ્ટર્ન રેલ્વેમાં છે અને બાકીના સેન્ટ્રલ રેલ્વે હેઠળ છે. લોકડાઉનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે રેલ્વે અધિકારી આ પ્રોજેક્ટને આટલી ઝડપથી પૂર્ણ કરી શક્યા. 

એપ્રિલ 2019 માં, આઈઆઈટી બોમ્બેએ પશ્ચિમ અને મધ્ય રેલ્વે વિસ્તારોમાં 50 ફૂટ ઓવર બ્રિજની મરામત સૂચવી હતી. આઈઆઈટીના રિપોર્ટ અનુસાર, એકલા મધ્ય રેલ્વેમાં 30 ફૂટઓવર બ્રિજને સમારકામની તાતી જરૂર હતી. ઓક્ટોબરમાં સેન્ટ્રલ રેલ્વેએ વિક્રોલી, ઠાકુરલી અને ડોમ્બિવલી ખાતે ફૂટ ઓવર બ્રિજ સમારકામ કરી જનતા માટે ખોલી પણ દીધાં છે. સેન્ટ્રલ રેલ્વેના પ્રવક્તાએ કહ્યુ કે, લોકડાઉનની તકનો લાભ લઈને અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સુધારો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આઈઆઈટી બોમ્બેના અહેવાલમાં પશ્ચિમ રેલ્વેના આવા 16 ફુટ ઓવર બ્રિજની ઓળખ કરવામાં આવી હતી, જેને તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હતી કારણકે તે રાહદારીઓ માટે અસુરક્ષિત હતાં. તેમાંથી 13 તોડી પડાયા છે, બાકીના ત્રણ (દાદર, અંધેરી અને ગોરેગાંવ) ને તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. જેનું કામ 31 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ થઇ જશે એવો વિશ્વાસ રેલ્વે અધિકારીઓ એ વ્યક્ત કર્યો હતો..

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version