Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે આજે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ, પરીક્ષાઓ મોકુફ…

Mumbai Rain: મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યભરના જિલ્લાઓમાં, સ્થાનિક પ્રશાસનને ત્યાંની પરિસ્થિતિના આધારે શાળાઓ અંગે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. BMC એ ગુરુવારે મુંબઈમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 12 સુધી રજા જાહેર કરી છે.

Mumbai sees second-driest August in decade; heavy rain not likely for 10 days: IMD

Mumbai sees second-driest August in decade; heavy rain not likely for 10 days: IMD

News Continuous Bureau | Mumbai

Mumbai Rain: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde) એ બુધવારે જણાવ્યું હતું કે ભારે વરસાદને(Heavy rain) ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai) અને કોંકણ (Konkan) વિભાગની તમામ શાળાઓ બંધ(Holiday) રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યભરના જિલ્લાઓમાં, સ્થાનિક પ્રશાસનને ત્યાંની પરિસ્થિતિના આધારે શાળાઓ અંગે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. BMC એ ગુરુવારે મુંબઈમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 12 સુધી રજા જાહેર કરી છે.

Join Our WhatsApp Channel

દરમિયાન, ગુરુવારની એસએસસી (SSC) અને એચએસસી (HSC) ની પૂરક પરીક્ષાઓ આવતા મહિને મુલતવી રાખવામાં આવી છે. શારીરિક શિક્ષણ, ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજી, મિકેનિકલ ટેક્નોલોજી સહિત ગુરુવારના એસએસસીના પેપર 2 ઓગસ્ટે લેવાશે. ગુરુવાર (20 જુલાઈ)ના રોજ નિર્ધારિત એચએસસી ભાષાના પેપર 11 ઑગસ્ટના રોજ લેવાશે. મુંબઈ યુનિવર્સિટી (Mumbai University) એ રાયગઢમાં વિદ્યાર્થીઓ માટે બુધવારની પરીક્ષાનું રિશેડ્યૂલ કર્યું છે. MU ગુરુવારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિસ્ટન્સ એન્ડ ઓપન લર્નિંગ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. બુધવારની પરીક્ષા આ જ કેન્દ્ર પર 22 જુલાઈએ લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024: કોંગ્રેસે પીએમ પદ માટેનો દાવો છોડી દીધો, આના કારણે પાર્ટીને નુકસાન કે ફાયદો?

BMCના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન મીડિયાકર્મીઓને સંબોધતા શિંદેએ જણાવ્યું હતું કે શહેરમાં 110 સ્થળોએ પાણી ભરાયા નથી. તેમણે કહ્યું કે હિંદમાતા અને મિલાન સબવે જેવા સ્થળોએ 450 જેટલા પંપ લગાવવા સહિત બીએમસી (BMC) ના પગલાંને કારણે પાણીનો ભરાવો જોવા મળ્યો નથી.

રાજ્ય પરિવહન અને બેસ્ટને વધારાની બસો ચલાવવા માટે કહેવામાં આવ્યું

શિંદેએ જણાવ્યું હતું કે CSMT, ભાયખલા, દાદર, ભાયખલા અને કુર્લા સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી, BMCને મુસાફરો માટે નાસ્તા અને ચાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્ય પરિવહન અને બેસ્ટને વધારાની બસો ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

મેનહોલ કવરનો ઉલ્લેખ કરતાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 3,000 મેનહોલ હેઠળ નેટ સ્થાપિત કરવામાં આવી છે અને શહેરના બાકીના 1 લાખ મેનહોલ હેઠળ વધુ ઝડપથી સ્થાપિત કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસરોને વોચ રાખવા જણાવાયું છે. તેમણે નાગરિકોને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી અને પ્રવાસીઓને બીચની મુલાકાત ન લેવા જણાવ્યું. “રાયગઢ, સિંધુદુર્ગ, રત્નાગિરી જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. અમે સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પણ ઘરે પાછા મોકલી દીધા છે,” શિંદેએ કહ્યું.

આ સમાચાર પણ વાંચો: Manipur Violence: મોદીજી સુઈ રહ્યા છે’, મણિપુરની ઘટના પર વિપક્ષનો ભડકો, મહિલાઓને નગ્ન કરીને પરેડ બદલ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ

Mumbai Heart attacks ચિંતાજનક આંકડા મુંબઈમાં દર વર્ષે હાર્ટ એટેકથી ૧૬ હજારથી વધુ લોકોના મોત, કેન્સરના દર્દીઓનો આંકડો પણ ૧૦ હજારની નજીક
Delhi Police Register FIR Pellet Gun Case રાહુલ ગાંધીના ધરણા આગળ ઝૂકી દિલ્હી પોલીસ, પેલેટ ગન કેસમાં અંતે નોંધી એફઆઈઆર
Goregaon Producer House Theft ગોરેગાંવમાં નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રોકડા અને હાર્ડ ડિસ્ક ચોરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
Powai Fake Transgender Rape Case મુંબઈમાં કિન્નરનું રૂપ ધારણ કરી મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, પવઈ પોલીસની કાર્યવાહી
Exit mobile version