Mumbai Road Construction: મુંબઈમાં રસ્તાઓને કોંક્રીટાઇઝ કરવાનું કામ સાવ ધીમી ગતિએ, જુન સુધીમાં માત્ર 40 ટકા જ કોંક્રીકરણ

Mumbai Road Construction: મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓને લઈને હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી. તેમજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વાહનચાલકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે નગરપાલિકાને ખાડાઓની સમસ્યાના નિરાકરણ માટે રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

by Bipin Mewada
Mumbai Road Construction Concreting of roads in Mumbai at a slow pace, only 40 percent concreting by June

News Continuous Bureau | Mumbai

Mumbai Road Construction: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાને ( BMC ) મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત બનાવવા માટે તમામ રસ્તાઓને સિમેન્ટથી કોંક્રીટકરણ ( concretization ) કરવાની સૂચના આપી છે. તે મુજબ 2 હજાર 50 કિમીમાંથી 1 હજાર 224 કિમીથી વધુ રસ્તાઓને સિમેન્ટથી કોંક્રીટીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 400 કિલોમીટરના રસ્તાઓનું સિમેન્ટ-કોંક્રીટીંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ કામોની ગતિ ધીમી છે. હજુ સુધી આ રસ્તાઓનું માત્ર 20 થી 22 ટકા કોંક્રીટીંગનું કામ પૂર્ણ થયું છે. મુંબઈ મહાપાલિકાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમાંથી 40 ટકાનું કામ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. 

વાસ્તવમાં, મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓને લઈને હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી. તેમજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) વાહનચાલકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે નગરપાલિકાને ખાડાઓની ( potholes ) સમસ્યાના નિરાકરણ માટે રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુંબઈમાં 2 હજાર 50 કિલોમીટરના રસ્તાઓ છે અને તેમાંથી 50 ટકાથી વધુ રસ્તાઓનું કોંક્રીટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. જો કે, મુંબઈમાં પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોમાં 397 કિલોમીટરના રસ્તાઓના સિમેન્ટ-કોંક્રીટીંગના કામ માટે જાન્યુઆરી 2023માં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. આ માટે પાંચ કંપનીઓને 6000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

 હાલમાં ઉપનગરીય વિસ્તારોમાં કોંક્રીટીંગના કુલ કામોમાંથી 20 થી 22 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે..

જોકે, હજી સુધી મુંબઈમાં પૂર્વ અને પશ્વિમ ઉપનગરોમાં રોડ કોંક્રીટનું કામ શરૂ ન થયું હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો.જે બાદ કોન્ટ્રાક્ટરે તેને કોર્ટમાં પડકાર્યો હતો. તે કોર્ટ કેસ ચાલુ હોવાથી, હવે શહેરમાં કામો માટે પાલિકા દ્વારા નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ન હતા. જે બાદ પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને શહેરમાં કોંક્રીટીંગ માટે ફરીથી ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જો કે, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં કોંક્રીટીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રસ્તાઓ નીચે વરસાદી પાણી જમા થાય તેવી પાઈપલાઈનો, નવી પાણીની પાઈપલાઈનોના કામો અને ઉપયોગી પાઈપલાઈનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનું બાકી છે, તેથી ઉપનગરોમાં કોંક્રીટીંગના કામો ચાલુ છે. પરંતું હાલ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન ને નડ્યો અકસ્માત, શરીર ના આ ભાગ માં થઇ ઇજા, વિડીયો શેર કરી સંભળાવી આપવીતી

જેમાં હાલમાં ઉપનગરીય વિસ્તારોમાં કોંક્રીટીંગના કુલ કામોમાંથી 20 થી 22 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ્સ) એ નિવેદન આપતા આ અંગે કહ્યું છે કે, જૂન સુધીમાં 40 ટકા કામ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં મુંબઈ મહાનગરપાલિકાએ 2 હજાર 200 કરોડના 236 કિલોમીટરના કામો હાથ ધર્યા હતા. આ કામો ઓક્ટોબર 2022થી શરૂ થયા હતા. તે કામો હજુ પણ ચાલુ છે અને નવેમ્બર 2022 થી ફરીથી 397 કિલોમીટરના 910 રસ્તાઓના કામો માટે ટેન્ડર મંગાવીને ફરીથી કામો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આ કામોમાં પણ કોઈ ઝડપ નથી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More