મુંબઈમાં કોરોનાના રસીકરણ અભિયાનને લાગી બ્રેક! જુલાઈમાં 9 દિવસ પાલિકાના સેન્ટર બંધ રહેતા  વેક્સીનેશનમાં આટલા ટકાનો થયો ઘટાડો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

મંગળવાર  

ગત જુલાઈ મહિનામાં સરકારી વૅક્સિનેશન કેન્દ્રો નવ દિવસ બંધ રહેતાં શહેરમાં કોરોનાના રસીકરણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

મુંબઈમાં 9 દિવસ વૅક્સિન કેન્દ્રો બંધ રહ્યાં હતાં જેમાં ચાર દિવસ રવિવાર હતો જ્યારે બીએમસી રસીકરણ કરતી નથી અને પાંચ દિવસ ડૉઝની અછતને કારણે રસીકરણ થઈ શકયું નહોતું.

આંકડા બતાવે છે કે, મુંબઈને જૂનના 7.4 લાખ ડૉઝની સામે જુલાઈમાં 9.8 લાખ ડૉઝ મળ્યા હતા.

જોકે, સરકારી કેન્દ્રોમાં રસીની તંગીને કારણે ખાનગી હૉસ્પિટલોનાં કેન્દ્રોમાં રસીની માગમાં વધારો થયો ન હતો. 

જુલાઈ મહિનામાં ખાનગી કેન્દ્રોમાં પણ રસીકરણમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જૂનમાં 13.4 લાખ મુંબઈગરાઓએ નાણાં ખર્ચીને વૅક્સિન લીધી હતી જે આંકડો જુલાઈમાં આઠ લાખ કરતાં ઓછો થઈ ગયો હતો

ઠાકરે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More