Mumbai: મુંબઈમાં ચાલતી બેસ્ટ બસમાં થયું કંઈક આવુ, પછી બસ કંડકટરના હસ્તક્ષેપથી વૃદ્ધ મુસાફરનો જીવ બચ્યો.. જાણો શું છે આ મામલો..

Mumbai: મુંબઈમાં બેસ્ટ બસના અર્જુન લાડ નામના કંડક્ટરના સમજદારીને કારણે રવિવારે બેસ્ટની બસમાં સવાર 62 વર્ષીય મુસાફરનો જીવ બચી ગયો હતો…

by Bipin Mewada
Mumbai Something like this happened in the best bus running in Mumbai, then the bus conductor's intervention saved the life of an elderly passenger

 News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ( Mumbai ) માં બેસ્ટ બસ ( BEST Bus ) ના અર્જુન લાડ નામના કંડક્ટર ( Conductor ) ના સમજદારીને કારણે રવિવારે બેસ્ટની બસમાં સવાર 62 વર્ષીય મુસાફર ( Passenger ) નો જીવ બચી ગયો હતો. આ ઘટના મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે રૂટ નંબર 453 પર બસમાં મુસાફરી કરતી વખતે એક મુસાફર બેભાન થઈ ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે બસ ઘાટકોપર ડેપોથી લોકમાન્ય નગર, થાણે જઈ રહી હતી. બપોરે 2.20 વાગ્યે, મુલુંડ ચેક પોઈન્ટ પાસે બસની અંદર એક મુસાફર, 62 વર્ષીય રોહિદાસ પવાર બેહોશ થઈ ( Fainted ) ગયો હતો.

જેમાં બસ કંડક્ટર તેને બચાવવા તાત્કાલિક દોડી ગયો હતો અને તેને સીપીઆર આપ્યો હતો, ત્યારબાદ તે વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે થાણેની ESIS હોસ્પિટલમાં ( ESIS Hospital ) લઈ ગયા હતા. સમયસર હસ્તક્ષેપને કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો હતો અને તેની સ્થિતિ હવે સ્થિર હોવાનું કહેવાય છે,” એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Toll: મુંબઈમાં ટોલ ટેક્સ દરમાં વધારો.. છતાં સરકારની તિજોરી ખાલી.. આટલા કરોડથી વધુની વસુલાત બાકી..

હાલમાં ઘણા કંડક્ટરોને તાજેતરમાં સીપીઆરમાં તાલીમ આપવામાં આવી….

BEST કંડક્ટરને તેની સમજદારી અને જીવન બચાવવા માટે સન્માનિત કરવાની યોજના ધરાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા કંડક્ટરોને તાજેતરમાં સીપીઆરમાં ( CPR ) તાલીમ આપવામાં આવી હતી અને બસમાં આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે પણ શીખવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

You may also like