Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો

Mumbai train tragedy: થાણે જિલ્લાના મુમ્બ્રામાં બનેલી દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રી અને રેલ્વે બોર્ડના અધિકારીઓએ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની ટીમ સાથે વિગતવાર બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય મુંબઈમાં દોડતી નોન-એસી લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા બંધ થવાના મુદ્દાનો વ્યવહારુ ઉકેલ શોધવાનો હતો.

by kalpana Verat
Mumbai train tragedy All new non-AC Mumbai local trains to have auto closing doors Railway Board

 News Continuous Bureau | Mumbai

Mumbai train tragedy: થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા.  જેમાં ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા,  દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રીએ હવે મોટો નિર્ણય લીધો છે. હવે રેલવે મંત્રીએ મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનોના કોચની આખી ડિઝાઇન બદલવાનો નિર્ણય લીધો છે. કસારા અને કલ્યાણ લોકલ ટ્રેનો પસાર કરતી વખતે દરવાજા પર લટકતા મુસાફરો પાટા પર પડી ગયા બાદ સરકાર હવે સફાળી જાગી છે. શું થશે તે ચોક્કસ ફેરફારો વાંચો..

Mumbai train tragedy: લોકલ કોચની આખી ડિઝાઇન બદલવાનો નિર્ણય લીધો

થાણેથી આગળ મુસાફરી દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. આને કારણે, ડોમ્બિવલી, દિવા, મુમ્બ્રા અને કલવા ખાતે લોકલ ટ્રેનોમાં ચઢતી વખતે મુસાફરોનો શ્વાસ રૂંધાવા લાગે છે. આ મુસાફરીમાં ઘણા મુસાફરો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. સોમવારની ઘટનામાં, રેલવેનો દાવો છે કે મુસાફરો દરવાજા પર ઉભા હતા, જેના કારણે આ દુર્ઘટના બની. જોકે, મુસાફરો દરવાજા પર કેમ લટકતા છે તે અંગે કોઈ વિચારતું નથી. હવે, રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. તે મુજબ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલવાનો નિર્ણય લીધો છે.

Mumbai train tragedy: આ ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે

મુંબઈમાં EMU ઉપનગરીય લોકલમાં ફેરફાર કરવામાં આવશે. રેલવે પ્રશાસને હવે મુમ્બ્રામાં થયેલા  લોકલ અકસ્માતમાંથી એક મોટો પાઠ શીખ્યો છે. નવી ટ્રેનનો દેખાવ નવેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જશે અને તે જાન્યુઆરી 2026 માં પાટા પર દોડી શકશે અને સેવામાં દાખલ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. લોકલ કોચની નવી ડિઝાઇનમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. પહેલો ફેરફાર એ છે કે દરવાજામાં ઓટોમેટિક દરવાજા હશે, બીજો કોચમાં છત પર માઉન્ટ થયેલ વેન્ટિલેશન યુનિટ હશે. આને કારણે, ઉપરથી કોચમાં હવા આવશે. ત્રીજો ફેરફાર એ છે કે કોચમાં એક કોચથી બીજા કોચમાં જવા માટે લાંબા અંતરની ટ્રેનોની જેમ વેસ્ટિબ્યુલ ગેંગવે હશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Train Accident:થાણે ના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર 13 મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા, 4ના મોત, અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકોના પરિવારોને મળશે અધધ આટલા લાખ રૂપિયાનું વળતર

Mumbai train tragedy: રેલવે મંત્રીએ શોક વ્યક્ત કર્યો

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે ​​રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ફોન પર વાત કરી. આ વખતે, મુમ્બ્રામાં થયેલા અકસ્માત અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે, રેલવેને આ બાબતની નોંધ લેતા, લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવાની સૂચના આપવામાં આવી હતી. લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવા અંગે સકારાત્મક ચર્ચા થઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More