News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં વાયુ પ્રદુષણ ( Air pollution ) ઘટાડવા અને જમીનને અતિક્રમણથી બચાવવા માટે, BMC મલાડમાં 6.9-એકરના પ્લોટ પર 10,000 વૃક્ષો વાવશે ( Plant tree ) . નોઈડાના ‘વેદ વન’ પર આધારિત વૈદિક થીમ ( Vedic theme ) આધારિત પાર્ક પણ અહીં સ્થાપિત કરવામાં આવશે. માર્વે રોડ પર અથર્વ કોલેજની સામે આવેલી જમીન પર ફર્નિચરની દુકાનો અને ઝૂંપડાંઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અને તેઓએ લગભગ 20 વર્ષ સુધી આ જમીન પર કબજો જમાવવાનું ચાલુ રાખ્યું હતું.
જુલાઈમાં, મુંબઈ ઉપનગરીય કલેક્ટરે બગીચાના વિકાસ માટે જમીન BMCને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. કબજો મેળવ્યા બાદ મહાનગરપાલિકાએ ગત મહિને 63 ગેરકાયદેસર દુકાનો તોડી પાડી હતી.
જાપાનીઝ મિયાવાકી ટેકનિકનો ( Japanese Miyawaki technique ) ઉપયોગ કરીને 10,000 વૃક્ષો વાવવામાં આવશે…
દરમિયાન આ “સ્થળને બેરિકેડથી સુરક્ષિત કરવામાં આવશે અને ટૂંક સમયમાં અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત, જાપાનીઝ મિયાવાકી ટેકનિકનો ઉપયોગ કરીને 10,000 વૃક્ષો વાવવામાં આવશે અને બાગાયત વિભાગ દ્વારા થીમ પાર્ક વિકસાવવામાં આવશે, એમ ”પી-નોર્થ વોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શિંદે વિરુદ્ધ વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું.. મુંબઈના પૂર્વ મેયર દત્તા દળવીની કારમાં તોડફોડ.. ઠાકરે જુથે આપી આ પ્રતિક્રિયા…
આ જમીન મનોરંજન/રમતગમતના મેદાન માટે આરક્ષિત રહેશે. સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટીએ ( Gopal Shetty ) BMCને નોઈડા સેક્ટર 78માં વૈદિક-થીમ પાર્ક જેવી જગ્યા અહીં વિકસાવવાનું સૂચન કર્યું હતું, જે એક સમયે ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. નાગરિક સૂત્રોએ જણાવ્યું હતું કે થીમ પાર્ક વિકસાવવા માટે અંદાજિત રૂ. 5 કરોડનો ખર્ચ થશે.