Mumbai Water cut : પાણી ભરીને રાખજો, કાંદિવલી બોરીવલીમાં આ તારીખે 24 કલાક માટે રહેશે પાણીકાપ.. જાણો કારણ..

Mumbai Water cut : વોટર મેઈન રિપ્લેસમેન્ટના કામને કારણે R દક્ષિણ અને R સેન્ટ્રલના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર, 2 મેના રોજ રાત્રે 10 વાગ્યાથી શુક્રવાર, 3 મેના રોજ રાત્રે 10 વાગ્યા સુધી પાણીનો પુરવઠો કાપવામાં આવશે. આર દક્ષિણ વિભાગમાં, મીઠ ચોકી જંકશનથી મહાવીર નગર જંકશન સુધીની નવી લિંક સાથે હાલની 1200 મીમી વ્યાસની પાણીની લાઈન બદલવામાં આવશે.

by kalpana Verat
Mumbai Water cut Water Cut Expected In Kandivali And Borivali Area On May 3 Amid BMC's Pipeline Work

News Continuous Bureau | Mumbai 

Mumbai Water cut : હાલમાં મુંબઈ શહેર માં કેટલીક જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો બદલવા અથવા રીપેરીંગ નું કામ ચાલી રહ્યું છે. તેથી અવાર નવાર પાલિકા દ્વારા શહેરના અમુક ભાગોમાં પાણીકાપ મુકવામાં આવે છે. હવે અહેવાલ છે આગામી સપ્તાહે BMC મીઠી ચોકી જંકશનથી મહાવીર નગર જંકશન વચ્ચે 2 મેના રોજ રાત્રે 10 વાગ્યે પાઈપલાઈન ( Waterline work ) બદલવાનું કામ હાથ ધરશે. આ કામ 24 કલાકમાં પૂર્ણ થવાની ધારણા છે કારણ કે આ સમયગાળા દરમિયાન પાઈપલાઈન ખાલી થઈ જશે. આ કામને પગલે 3 મેના રોજ કાંદિવલી ( Kandivali ) અને બોરીવલી ( Borivali ) ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે.

  Mumbai Water cut : અહીં પાણીની પાઈપલાઈન બદલવાની કામગીરી હાથ ધરશે

મળતી માહિતી મુજબ મુંબઈ મનપા દ્વારા મીઠા ચોકી જંકશન ( Meeth chowki Junction ) થી મહાવીર નગર જંકશન સુધીના નવા રોડની બાજુમાં 1200 મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેથી, પાણી બંધ ( Water cut Mumbai ) થયાના 24 કલાકમાં પાણીની પાઈપલાઈનને અલગ કરવામાં આવશે. આર દક્ષિણ અને આર સેન્ટ્રલ ડિવિઝનમાં કેટલીક જગ્યાએ ઓછા દબાણથી પાણી પુરવઠો રહેશે, જ્યારે કેટલીક જગ્યાએ પાણી પુરવઠો બંધ ( Water cut ) રહેશે.

આ સમાચાર પણ વાંચો : Vikat Sankashti Chaturthi : આજે છે વિકટ સંકષ્ટી ચતુર્થી, ગણપતિ બાપ્પાની પૂજાથી અવરોધ થશે દૂર, જાણો શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ..

 Mumbai Water cut :  આ વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે રહેશે 

ગાંધીનગર, સંજય નગર, લાલજીપાડા, કે. ડી. કમ્પાઉન્ડ, સરકારી ઔદ્યોગિક વસાહત, ચારકોપ ગામ, બંદર પખાડી, ભાબરેકર નગરમાં શુક્રવાર 3જી મેના રોજ પાણી નહીં આવે.

જનકલ્યાણ નગર, છત્રપતિ શિવાજી રાજે કોમ્પ્લેક્સ, મ્હાડા કોલોનીમાં પણ 3 મેના રોજ પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવશે.

ચારકોપ મ્હાડા સેક્ટર – 01 થી 09 વાગ્યા સુધી 3 મેના રોજ સંપૂર્ણ પાણી પુરવઠો બંધ રહેશે.

સ્વામી વિવેકાનંદ માર્ગ (સંપૂર્ણ કાંદિવલી પશ્ચિમ), મહાવીર નગર, મહાત્મા ગાંધી માર્ગ, શંકર ગલ્લી, મથુરદાસ માર્ગ, શાંતિલાલ મોદી માર્ગ, ખજુરિયા ટાંકી માર્ગ, મ્હાડા એકતા નગર, ઈરાનીવાડી, કાંદિવલી ગામ આર દક્ષિણ વિભાગની હદમાં અહીં ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.

અન્ય વિસ્તારો જેમ કે પોઇસર, મહાવીર નગર, ઈન્દિરા નગર, બોરસા પાડા માર્ગ, એસવી રોડ (પાણી પુરવઠો સાંજે 4.30 થી 6.45 વાગ્યા સુધી), શિમ્પોલી, મહાવીર નગર, સત્ય નગર, વજીરા નાકા, જયરાજ નગર, એકસર, સોડાવાલા ગલી, યોગી નગર , પોઈસર (પાણીનો સમય સાંજે 7.10 થી 9.55 વાગ્યા સુધી) 3 મેના રોજ પાણી નહીં મળે. BMCએ નાગરિકોને આગામી 4 થી 5 દિવસ સુધી પાણી પીતા પહેલા ફિલ્ટર અને ઉકાળીને પાણી પીવાની અપીલ કરી છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More