રવિવારે લોકલ ટ્રેનનો જમ્બો બ્લોક.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

શનિવાર

પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે માહિમ અને અંધેરી સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઈન પર જમ્બો બ્લોક જાહેર કરવામાં આવ્યું છે.

ટ્રેક સિગ્નલ અને ઓવરહેડ ઉપકરણોને સરખા કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે માહિમ તથા બાંદ્રા રેલ્વે સ્ટેશનો વચ્ચે સવારે ૧૦થી સાંજે ચાર વાગ્યા સુધી એટલે કે ૬ કલાક માટે તેમ જ બાંદ્રા અંધેરી સ્ટેશન ની વચ્ચે સવારે ૧૦થી બપોરે ત્રણ વાગ્યા વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઈન નો જમ્બો બ્લોક રહેશે. 

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે.

આ સમય દરમિયાન મધ્ય રેલવેની જીએસટી થી ગોરેગાવ અંધેરી વચ્ચેની તથા ચર્ચગેટ અને ગોરેગાંવ વચ્ચેની અમુક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

રેલવે પ્રશાસને પ્રવાસીઓને જાણકારી મેળવ્યા પછી ટ્રાવેલિંગ કરવાની સલાહ આપી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More