Site icon News Continuous Bureau | Mumbai

લોકલ યાત્રી ધ્યાન દે! પશ્ચિમ રેલવે આજે મધ્યરાત્રિથી આ સ્ટેશન વચ્ચે હાથ ધરાશે 14 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ..

જોગેશ્વરી-ગોરેગાંવ વચ્ચે ગર્ડર નંબર 46ના કામ માટે લેવામાં આવનાર ચાર તબક્કાના સ્કેફોલ્ડિંગનો બ્લોક શનિવાર-રવિવારની રાત્રે 12 થી રવિવાર બપોરે 2 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લોકલ રૂટ પર રહેશે.

Mumbai: WR announces 14-hour block for re-girdering work on Bridge No. 46

લોકલ યાત્રી ધ્યાન દે! પશ્ચિમ રેલવે આજે મધ્યરાત્રિથી આ સ્ટેશન વચ્ચે હાથ ધરાશે 14 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ..

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે જોગેશ્વરી થી ગોરેગાંવ સ્ટેશન વચ્ચેના પુલ ના કામ માટે આજ રાતથી આવતીકાલે, રવિવારે 14 કલાકનો મેગાબ્લોક હાથ ધરશે. આ બ્લોક પશ્ચિમ રેલવેના સ્લો અને ફાસ્ટ રૂટ અને હાર્બર અપ-ડાઉન રૂટ પર રહેશે. એટલા માટે રવિવારે ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. જોગેશ્વરી-ગોરેગાંવ વચ્ચે ગર્ડર નંબર 46ના કામ માટે લેવામાં આવનાર ચાર તબક્કાના સ્કેફોલ્ડિંગનો બ્લોક શનિવાર-રવિવારની રાત્રે 12 થી રવિવાર બપોરે 2 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લોકલ રૂટ પર રહેશે.

Join Our WhatsApp Channel

આ બ્લોકને કારણે અંધેરી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર તમામ અપ અને ડાઉન લોકલ ધીમી લાઇન પર ચાલશે અને પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે રામ મંદિર સ્ટેશન પર રોકાશે નહીં. આ સિવાય મધ્ય રેલવે પર ચાલતી તમામ હાર્બર લાઇન ટ્રેનો બાંદ્રા સ્ટેશન સુધી ચલાવવામાં આવશે.

આ બ્લોક સમયગાળા દરમિયાન ગોરેગાંવ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી 12.53 લોકલ રદ કરવામાં આવશે. બ્લોક પહેલા, ડાઉન હાર્બર રૂટ પરની છેલ્લી લોકલ CSMT-ગોરેગાંવ લોકલ રાત્રે 10.54 વાગ્યે ઉપડશે અને 11.49 વાગ્યે ગોરેગાંવ પહોંચશે, જ્યારે અપ હાર્બર રૂટ પરની છેલ્લી લોકલ ગોરેગાંવ 11.06 વાગ્યે ઉપડશે અને 12.01 વાગ્યે CSMT પહોંચશે. બ્લોક સમયગાળા દરમિયાન બાંદ્રા-ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન રૂટ પર હાર્બર ટ્રેનો ઉપલબ્ધ રહેશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Odisha Train Accident News Live: બાલાસોરમાં 3 ટ્રેનોની ટક્કરથી અત્યાર સુધીમાં 233 લોકોનાં મોત, 900 થી વધુ ઘાયલ, બચાવ કામગીરી રાતભર ચાલુ

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version