Site icon

મુંબઈગરા બન્યા મુર્ખ? મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનો મુંબઈ મનપાનો ઈનકાર, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મુંબઈમાં 700 સ્કવેરફૂટથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનો પ્રસ્તાવને મુંબઈ મનપાએ ફગાવી દીધો છે. રાજ્ય સરકાર તરફથી 700 સ્કવેરફૂટ અને તેનાથી વધુ વિસ્તાર ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાને લગતો સરકારે કોઈ નિર્ણય લીધો નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકા તેને લગતો કોઈ નિર્ણય લઈ શકશે નહીં એવું પણ પ્રશાસને કહ્યું છે.

Join Our WhatsApp Community

ભાજપના ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે 2018ની સાલમાં આ પ્રસ્તાવ લાવ્યા હતા. તેને પાલિકાની સામાન્ય સભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. મંજૂરી બાદ આ પ્રસ્તાવને પાલિકા કમિશનર પાસે અભિપ્રાય લેવા માટે મોકલવામા આવ્યો હતો. 

પાલિકા પ્રશાસનના કહેવા મુજબ 700 સ્કવેરફૂટ અને તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં 100 ટકા રાહત આપવાની સત્તા રાજય સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. રાજય સરકાર આદેશ આપે તો જ પાલિકા પ્રશાસન તેને અમલમા મૂકી શકે છે.

પોલીસની ગુસ્તાખીઃ કોર્ટના આદેશ બાદ પણ શખ્સને પોલીસ કસ્ટડીમાં ગોંધી મૂક્યો, કોર્ટે આપ્યો વળતરનો આદેશ. જાણો વિગત.

અહીં ઉલ્લેખનીય છે કે 2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં 500 સ્કવેર ફૂટ સુધીના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં સપૂર્ણપણે માફી આપવાની જાહેરાત કરી હતી. તો 700 સ્કવેર ફૂટ અને તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને રીબેટ આપવાની જાહેરાત કરી હતી. જેમાથી 500 સ્કેવર ફૂટ સુધીના ઘરોને લગતો પ્રસ્તાવ મંજૂર થઈને તેને અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો છે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version