Site icon News Continuous Bureau | Mumbai

હવે મુંબઈકરોને નહીં કરવો પડે પાણીકાપનો સામનો, પાલિકા મનોરી ખાતે ઉભો કરશે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ..

મુંબઈમાં દરરોજ 3,850 MLD પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે. ભલે વરસાદની મોસમમાં તળાવો કાંઠે ભરાઈ જાય, પરંતુ ફેબ્રુઆરી મહિનો આવતાં જ મુંબઈમાં પાણીની અછત સ્પષ્ટપણે જોવા મળે છે.

Mumbai's first desalination plant worth ₹ 1,600 crore to be at Manori; work order soon

હવે મુંબઈકરોને નહીં કરવો પડે પાણીકાપનો સામનો, પાલિકા મનોરી ખાતે ઉભો કરશે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ( Mumbai ) દરરોજ 3,850 MLD પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે. ભલે વરસાદની મોસમમાં તળાવો કાંઠે ભરાઈ જાય, પરંતુ ફેબ્રુઆરી મહિનો આવતાં જ મુંબઈમાં પાણીની અછત સ્પષ્ટપણે જોવા મળે છે. આવી સ્થિતિમાં મુંબઈગરાઓને આખું વર્ષ પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાએ દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનું આયોજન કર્યું છે. આ સાથે મુંબઈગરોને દરરોજ 200 MLD શુદ્ધ પીવાનું પાણી મળશે. આ પ્રોજેક્ટ ભાયંદર નજીક મનોરી ( Manori ) ખાતે સ્થાપિત કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

મ્યુનિસિપલ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલ સિંહ ચહલે એક ખાનગી મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો ડિસેલિનેશન પ્લાન્ટ પ્રોજેક્ટ મનોરી ખાતે સ્થાપિત થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ સુધીમાં વર્ક ઓર્ડર જારી કરવામાં આવે તેવી શક્યતા છે.

હાલમાં ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ધોરણે બિડ મંગાવવામાં આવશે. પ્લાન્ટ આગામી ચાર વર્ષમાં કાર્યરત થવાની ધારણા છે અને દરરોજ 200 મિલિયન લિટર પાણી (MLD) પર પ્રક્રિયા કરશે. તેના પર રૂ. 1,600 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને આગામી 20 વર્ષ માટે જાળવણી પાછળ રૂ. 1,920 કરોડનો ખર્ચ થશે.

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર : આ કંપનીની મોટી જાહેરાત, કહ્યું – ગમે તે થાય પણ અદાણી ગ્રૂપમાં  એક પૈસો પણ રોકાણ નહીં ઘટાડશે

વરસાદની બદલાતી પેટર્નને કારણે શહેર માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ માટે, 2023-2024 માટે રૂ. 200 કરોડની જોગવાઈ તાજેતરના નાગરિક બજેટની રજૂઆત દરમિયાન સૂચવવામાં આવી હતી.

બીએમસીએ પ્લાન્ટ માટે 12 હેક્ટર જમીન ફાળવી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચ-સ્તરીય સમિતિએ મુંબઈમાં ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું સૂચન કર્યા પછી 2007માં આ પ્રોજેક્ટને સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો હતો. BMCએ આવા બે પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી – એક દક્ષિણ મુંબઈમાં અને બીજો પશ્ચિમી ઉપનગરમાં.

જો કે, ઊંચી કિંમત અને જમીનના મુદ્દાને કારણે આ દરખાસ્ત રદ કરવામાં આવી હતી. ઑક્ટોબર 2020 માં જ્યારે ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો ત્યારે તેને રિવાઇવ કરવામાં આવ્યો .

આ સમાચાર પણ વાંચો : મુંબઈ – BEST ઉપક્રમ ગુંદાવલી અને દહિસર મેટ્રો મુસાફરો માટે શરૂ કરશે નવી બસ સેવા, જાણો રૂટ અને અન્ય વિગતો..

Orange Gate Marine Drive Subway Project ઓરેન્જ ગેટમરિન ડ્રાઇવ ભૂગર્ભ પ્રોજેક્ટ રેલવેના 7 માર્ગો નીચે માત્ર 5 દિવસમાં 54 મીટર સુરંગ બનાવી અદભુત રેકોર્ડ
Dahisar Motorcycle Theft Gang દહિસર પોલીસે મોટરસાયકલ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપી પાડી, ૮ ગુનાઓનો ભેદ ઉકેલાયો
Titwala 15Day Mega Block Phase 2 મધ્ય રેલવેમાં ૧૫ દિવસના બ્લોકનો બીજો તબક્કો, ૨ સપ્ટેમ્બરથી રાત્રીની લોકલ રદ, અનેક એક્સપ્રેસના સમય બદલાયા
Maharashtra SIR draft મહારાષ્ટ્રમાં SIR ડ્રાફ્ટ વોટર લિસ્ટ આજે જાહેર, ઘરે બેઠા નામ ચેક કરો
Exit mobile version