રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More