News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath shinde) અને નાયબ મુખ્યમંત્રી(DeputCM) દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) કેબિનેટે(Cabinet) આજની બેઠકમાં મોટા નિર્ણયો લીધા છે.
આ બેઠકમાં ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજીનગર(Sambhajinagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(Dharashiv) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
સાથે નવી મુંબઈ એરપોર્ટનું(Navi Mumbai Airport) નામ D.B Patil રાખવાનો નિર્ણય લેવાયો છે.
બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી કે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેન્દ્રને(Central Govt) મોકલવામાં આવશે.
એટલે કે ઠાકરે સરકાર(Thackeray Govt) દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા 14મીએ મળેલી કેબિનેટની બેઠકમાં(Cabinet meeting) પેટ્રોલ(Petrol), ડીઝલના)Diesel) ભાવમાં ઘટાડો, સરપંચ અને મેયરની સીધી ચૂંટણી(Elections) કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ સમાચાર પણ વાંચો : એક શિવસૈનિકની માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક ચાલુ હતી ત્યારે જ આવ્યો એકનાથ શિંદેનો ફોન-પછી શું થયું-જાણો વિગત