કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં આવતીકાલથી ચાર દિવસ પાણીકાપ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોલાબાથી(Colaba) લઈને પવઈ(Powai) સુધીના વિસ્તારમાં આવતીકાલથી ચાર દિવસ સુધી પાંચ ટકા પાણીકાપ(Water cut) રહેશે બપોરના ચાર કલાક માટે આ કાપ મુકવામાં આવ્યો છે..

મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પાણી કાપ રહેશે. આ પાણી કાપને કારણે મુંબઈના એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-ઉત્તર, એલ, એમ-પૂર્વ, એમ-પશ્ચિમ, એન, એસ અને ટી વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠા(Water supply) પર અસર થશે. એટલે કે કોલાબા, ભાયખલા, મસ્જિદ બંદર, દાદર, પરેલ, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર, દેવનાર, ઘાટકોપર, વિક્રોલી, ભાડુંપ વિસ્તારમાં આ પાણી કાપ રહેશે.

પાલિકાના પાણી પુરવઠા(Municipal water supply) ખાતાના જણાવ્યા મુજબ પીસે પાંજરાપુર સંકુલમાં(Panjrapur Complex) પાંજરાપુર ખાતે 100 kV પાવર સબસ્ટેશનની(power substation) જાળવણીનું કામ BMC દ્વારા મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી દરરોજ સવારે 11.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે હાથ ધરવામાં આવવાનું છે.  તેથી, આ સમયગાળા દરમિયાન, પીસે પાંજરાપુર સંકુલમાંથી આવતા પાણી પુરવઠાને અસર થશે..

આ સમાચાર પણ વાંચો :   લો બોલો!!! મહારાષ્ટ્ર સરકારના વેટમાં ઘટાડા બાદ પણ મુંબઈ શહેરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને જ.. જાણો ઇંધણના લેટેસ્ટ ભાવ..

ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક(Water stock) રાખવા પાલિકાએ અપીલ કરી છે. 
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More