Site icon

શિવસેના-ભાજપ વચ્ચે હવે શરૂ થયું પોસ્ટર ફાડો યુદ્ધ- ભાજપે શિવસેનાની સ્ટાઈલમાં રસ્તા વચ્ચે લાગેલા ઉદ્ધવના પોસ્ટર ફાડી નાખ્યા- જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) સરકાર તૂટી પડ્યા બાદ નવી શિંદે-ફડણવીસની સરકાર (Shinde-Fadnavis government) બની હતી. તેને ખાસ્સો સમય થઈ ગયા બાદ હજી પણ શિવસેના(Shivsena) તથા ભાજપ(BJP) વચ્ચે સામ-સામે આક્ષેપો ચાલી જ રહ્યા છે. તેમાં હવે ગણેશોત્સવમાં(Ganeshotsav) પોસ્ટરબાજીને મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે.

Join Our WhatsApp Community

થોડા દિવસ પહેલા વરલી વિધાનસભા (Assembly) વિસ્તારમાં ભાજપની દહીંહાંડીને લઈને નિર્માણ થયેલો વિવાદ હજી ઠંડો પડ્યો નથી, તેમાં હવે ગણેશોત્સવમાં પોસ્ટર લગાડવાને લઈને ભાજપ-શિવસેના ફરી સામ-સામે થઈ ગયા છે.

ભાજપના દ્વારા એવા આરોપ કરવામાં આવ્યા છે કે તાડદેવમાં  નિયમોનું પાલન કરીને ગણપતિબાપ્પાના પોસ્ટર(Poster of Ganapati bappa) લગાડવામાં આવ્યા હતા. છતાં તેમના હોર્ડિંગ્સ(hoardings) પર શિવસેનાએ જબરદસ્તીથી કબજો જમાવી દીધો હતો અને ગણપતિના હોર્ડિંગ્સ પર પોતાનો વ્યક્તિગત પ્રચાર કરતા હોર્ડિંગ્સ લગાવી દીધા હતા.

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ ભાજપના યુવા મોર્ચા મુંબઈના કાર્યકર્તાઓ આજે સવારે યુવા મોર્ચા અધ્યક્ષ તેજિંદર સિંગ તિવાનાના નેતૃત્વમાં મુંબઈના તાડદેવ વિસ્તારમાં એસી માર્કેટ બસ સ્ટોપ પર પહોંચી ગયા હતા અને શિવસેનાના અરુણ દુધવાડકર દ્વારા ગણપતિ બાપ્પાના હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા, તેને ઉખાડીને ફેંકી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

મિડિયા સાથે વાત કરતા સમયે તેજિંદરે કહ્યું હતું કે ઉદ્ધવજી તમને મારી અપીલ છે કે અમારા નેતાઓએ જે બેનર લગાવ્યા છે તે નિયમને ધ્યાનમાં રાખીને લગાવ્યા છે. તેથી તેના પર પોતાના બેનર લગાડવાનું બંધ કરો. અન્યથા યુવા મોર્ચાને પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો પડશે.

ભાજપના યુવા મોર્ચાએ શિવસેના આપેલી ચેતવણી બાદ પણ તેમના તરફથી સત્તાવાર કોઈ જવાબ આવ્યો નહોતો. જોકે આગામી દિવસમાં શિવસેના અને ભાજપ વચ્ચેનું યુદ્ધ વધુ વકરે એવી શક્યતા છે.

 

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version