Site icon News Continuous Bureau | Mumbai

ચેરમેન વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શન રદ કરવાનો અનુરોધ ફગાવ્યો, આપ્યું આ કારણ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

12 સંસદોના સસ્પેન્શન પાછા ખેંચવાની માંગ બાદ રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડુએ વિપક્ષને આડે હાથ લીધા છે.

સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માંગ પર અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સાંસદો પસ્તાવો કરવાને બદલે તેમના કાર્યોને સાચા ઠેરવી રહ્યા છે. તેથી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. 

તેમણે એમ પણ કહ્યું કે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહીં પરંતુ ગૃહની છે. 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને લઈને કહ્યું કે માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ છે અને તેને પાછું ખેંચવું જોઈએ. 

સાથે જ ખડગેએ વિપક્ષના તમામ 12 સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી. 

ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભાના 12 સભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગત સત્રમાં પણ ખેડૂતોના આંદોલન અને અન્ય પ્રશ્નોના બહાને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. 

નૌસેના અધ્યક્ષ એડમીરલ કરમબીર સિંઘની વિદાય, હવે આ અધિકારી બન્યા નવા અધ્યક્ષ; જાણો તેમની સિદ્ધિઓ

Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Mumbai TVJA MP Journalists Threat મીડિયા જગતમાં ભારે આક્રોશ સવાલ પૂછવા પર પત્રકારોને ‘જાનથી મારી નાખવાની’ ધમકી આપનારા સાંસદ સામે TVJA લાલચોળ
Water Pipeline Burst in Andheri West અંધેરી વેસ્ટમાં પાણીની પાઈપલાઈન ફાટતા હજારો લિટર પાણીનો બગાડ, લિંક રોડ પર ટ્રાફિકની સમસ્યા
Exit mobile version