Site icon

મુંબઈગરાઓ માટે ખુશખબર : લોકલ ટ્રેનની ટિકિટ કે પાસ લેવા માટે મુસાફરોને હવે ટિકિટ બારી પર જવું પડશે નહીં. આજથી શરૂ કરવામાં આવી આ સેવા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ રેલવેની મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો, જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેઓ હવે રેલવેની યૂટીએસ (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) એપ દ્વારા પણ સિંગલ ટિકિટ અને મંથલી પાસ મેળવી શકશે.

પ્રાપ્ત જાણકારી મુજબ UTS એપને રાજ્ય સરકારની યુનિવર્સલ પાસ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. પરિણામે, મુસાફરોને ટિકિટની કતારમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે અને હવે મુસાફરો UTS એપ પરથી ટિકિટ અને પાસ કાઢી શકશે. ટિકિટ કે પાસ લેવા માટે મુસાફરોને હવે ટિકિટ બારી પર જવું પડશે નહીં. આજથી આ સેવા શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત; જાણો વિગતે

મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ મીડિયાને કહ્યું કે જે વ્યક્તિઓએ રસીના બંને ડોઝ લીધા છે અને છેલ્લો ડોઝ આપ્યાના 14 દિવસ પૂરા કર્યા છે, તેઓએ રાજ્ય સરકારનો સાર્વત્રિક પાસ મેળવવો પડશે જે રસીકરણની સ્થિતિની ચકાસણી બાદ આપવામાં આવશે. સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બંને સિસ્ટમને જોડવાથી મુસાફરોને મોટી રાહત થશે અને રેલવે ટિકિટ કાઉન્ટર પરની કતારોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારે માસિક પાસ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. એટલે કે લોકોએ એક દિવસની મુસાફરી માટે પણ મંથલી પાસ કઢાવવો પડતો હતો. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જે બાદ સરકારે મુસાફરી માટે ફરજિયાત માસિક પાસ રદ્દ કર્યો હતો. જેનાથી મુસાફરોને રાહત મળી હતી. 

Deonar Gas Cylinder Seizure:દેવનારમાંથી ૯૩ હજારથી વધુની કિંમતના ગેસ સિલિન્ડરો ઝડપાયા, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી
Thane Accident:થાણે: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મુસાફરે બંને પગ ગુમાવ્યા
Dharavi Drug Bust:ધારાવીમાં ₹૨૬ લાખના ‘મેફેડ્રોન’ ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો; ANCની મોટી કાર્યવાહી
Major Fire in Ghatkopar:ઘાટકોપર: ગરોડિયા નગરમાં ભીષણ આગમાં ૮ રિક્ષાઓ બળીને ખાખ
Exit mobile version