Site icon

નવી મુંબઈના આંદોલન કરનારા 20,000 લોકોના વિરોધમાં ગુનો નોંધાયો, પરંતુ મરાઠા આંદોલનમાં સામેલ થનારા અજિત પવાર વિરુદ્ધ કોઈ પગલાં નહીં, આવું કેમ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

નવી મુંબઈમાં બની રહેલા ઍરપૉર્ટને દિના બામા પાટીલનું નામ આપવાની માગણી સાથે 24 જૂને આંદોલન કરવાના પ્રકરણમાં આયોજક સહિત 20,000 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુરુવારી CBDમાં સિડકો ઑફિસ સામે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં નવી મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આંદોલનને પોલીસની મંજૂરી નહોતી તેમ જ આંદોલનના પ્રમુખ સહિત મુખ્ય નેતાઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. છતાં તેઓએ આંદોલન કર્યું હતું. એથી પોલીસે આયોજક સહિત લગભગ 20,000 લોકો સામે ગુનો નોંધી દીધો છે.

જ્યાં વાયુપ્રદૂષણ વધારે ત્યાં કોરોના વધારે, આ રિપૉર્ટને કારણે નિમ્ન લિખિત શહેરો ખતરામાં આવ્યાં;જાણો વિગત

જોકે સરકારના બેવડાં ધોરણો સામે આંદોલનકારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ઍરપૉર્ટના નામને લઈને કરવામાં આવેલા આંદોલનમાં ભાગ લેનારા સામે ગુનો નોંધવામાં આવે છે, તો પછી મરાઠા આંદોલનમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સામે કેમ ગુનો નોંધવામાં આવ્યો નહોતો ? એવો સવાલ આંદોલનકારીએ કર્યો છે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version