Mira Road : મીરા રોડ મામલે નિતેશ રાણેએ ઘટનાસ્થળની લીધી મુલાકાત.. પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું આ..

Mira Road : નયા નગર પોલીસે અત્યાર સુધીમાં માત્ર 15 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર સગીર છે. તો ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ મામલે પાલિકા અને પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

by Bipin Mewada
Nitesh Rane visited the scene in the Mira Road case. Expressing his displeasure against the action of the police

 News Continuous Bureau | Mumbai

Mira Road : મીરા રોડના નયા નગરમાં હાલ તંગદિલીનો માહોલ છે. મંગળવારે પાલિકાએ નયા નગરમાં આવેલી દુકાનના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. નયા નગર ( Naya Nagar) પોલીસે અત્યાર સુધીમાં માત્ર 15 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર સગીર છે. તો ભાજપના ( BJP ) ધારાસભ્ય નિતેશ રાણેએ ( Nitesh Rane ) આ મામલે પાલિકા અને પોલીસની ( Thane Police ) કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ નાયબ મુખ્યમંત્રી ફડણવીસને બે-ત્રણ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રવિવારે મીરા રોડ પર નયા નગરમાં કેટલાક બદમાશોએ રામ ભક્તો ( Ram Devotees ) સાથે ભગવા ઝંડા સાથે, ભક્તો સાથે મારપીટ કરી અને તેમની કારમાં તોડફોડ કરી હતી. જેના કારણે હાલ બે દિવસથી નયા નગરમાં સંઘર્ષની સ્થિતિ છે. પોલીસ કમિશનરેટ દ્વારા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં રાજ્ય અનામત દળની બે ટુકડીઓ, રાયોટ કંટ્રોલની બે ટુકડીઓ અને એમ.બી.વી. પોલીસ કમિશનરેટના 342 પોલીસ કર્મચારી, બે પોલીસ ઈન્સ્પેક્ટર, 34 પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમ જ નવા નગરના હૈદરી ચોકમાં 20 થી 25 દુકાનોના ગેરકાયદે બાંધકામ પર પાલિકાએ કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં નયા નગર કેસમાં સાત એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે રવિવારના કેસમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ચાર સગીર છે. 20 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Republic Day: 250 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના અધ્યક્ષો”વિશેષ અતિથિઓ” તરીકે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડ 2024ના સાક્ષી બનશે

વિભાગમાં બે-ત્રણ સડેલી કેરીઓ અમારી સરકારનું નામ બગાડી રહી છેઃ નિતેશ રાણે..

એક મિડીયા રિપોર્ટ મુજબ, આ મામલે નિતેશ રાણેએ રવિવારે ઘાયલ થયેલા યુવકો અને મહિલાઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જે બાદ પોલીસ કમિશનર સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં નિતેશ રાણેએ પોલીસ અને પાલિકાની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.પોલીસની નિષ્ફળતા સામે નિતેશ રાણેએ આક્ષેપ કર્યો હતો કે વિભાગમાં બે-ત્રણ સડેલી કેરીઓ અમારી સરકારનું નામ બગાડી રહી છે. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને નયા નગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ ન લેતા આ વાત કહેવામાં આવી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસે આ મામલામાં અત્યાર સુધી મામૂલી કાર્યવાહી કરી છે.

ફડણવીસને મીરા રોડની તમામ વાસ્તવિકતા જણાવવા માટે, હું અહીં ફડણવીસના ( Devendra Fadnavis ) કાન અને આંખ બનીને આવ્યો છું. તેમણે વઘુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જે જગ્યાએ રમખાણો થયા છે. ત્યાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે, આ મહાવિકાસ આઘાડીની સરકાર નથી, આ અમારી મજબુત સરકાર છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More