Site icon

સારા સમાચાર!!! આખરે લોકલ ટ્રેનમાં તમામ મુંબઈગરાને પ્રવાસની છૂટ, સરકારે હટાવ્યા તમામ નિયંત્રણો.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે તમામ કોવિડ પ્રતિબંધક નિયંત્રણો હટાવી લીધા છે. એ સાથે જ લોકલ ટ્રેનમાં પ્રવાસને લઈને લાગુ કરવામાં આવેલા તમામ  નિયંત્રણો પણ હટાવી લેવામાં આવ્યા છે. તેથી હવે લોકલ ટ્રેન તમામ વર્ગના લોકોને પ્રવાસ કરવાની છૂટ મળી ગઈ છે.

Join Our WhatsApp Community

કોરોના કાળમાં લોકલ ટ્રેનમાં ફક્ત રસીકરણ થયેલા લોકોને જ પ્રવાસની છૂટ હતી. ટિકિટ અને પાસ મેળવવા માટે પણ રસીકરણનું સર્ટિફિકેટ અને યુનિવર્સલ પાસ દેખાડવું ફરજિયાત હતું. જોકે હવે સરકારે કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટાવી દીધા છે. 

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!!! નેશનલ પાર્કની નદીમાં તરવા ઉતરના યુવકનું ડુબીને મૃત્યુ થયું… જાણો વિગતે

તેથી મુંબઇ લોકલમાં પ્રવાસને લઈને રહેલા પ્રતિબંધો પણ હટી ગયા છે. તેથી મુંબઈના રેલવે સ્ટેશનો પરથી ટિકિટ વિન્ડો અને મોબાઈલ ઍપ પરથી કોઈ પણ શરત વિના ટિકટ મળી શકશે.  

રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ કોરોના સમયમાં રેલવે પરિસરમાં જવા-આવવાના દરવાજા, લિફ્ટ, એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ જે બંધ હતા. કર્મશિયલ ટિકિટ કાઉન્ટર, એટીવીએમ મશીન બધુ જ ફરી ખોલી દેવામાં આવશે. એ સાથે જ યુટીએસ મોબાઈલ એપમાંથી પણ યુનિવર્સલ પાસ નંબરની શરત હટાવી દેવામાં આવી છે. તેથી પ્રવાસીઓ હવે ઈ-ટિકિટ અને ઈ-પાસ પણ કાઢી શકશે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version