News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર દિન(Maharashtra Day) એટલે કે પહેલી મેથી મુંબઈ(Mumbai)માં ‘વોટર ફોર ઓલ’ (Water for all)એટલે માંગે તેને પાણી આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે(MVA Govt.) કરી છે. એટલે કે ગેરકાયદેઝૂંપડાથી(illegal hut) લઈને એનઓસી વગરની બિલ્ડિંગના રહેવાસીઓને પણ પાણી મળશે. પરંતુ મુંબઈ(Mumbai)ના લગભગ 12,000 લોકોને કોઈ હિસાબે પાણી નહીં આપવામાં આવે એવો દાવો પ્રશાસને કર્યો છે.
પાણી મૂળભૂત અધિકાર માંગે તે તમામને પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મુંબઈ(Mumbai)ની ગેરકાયદે ઈમારતમાં રહેતા લગભગ 12,000 લોકોને પાણી આપવામાં આવશે નહીં એવી જાહેરાત પાલિકા (BMC)એ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ગોવા જવાનો છો? કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. મુંબઈ-ગોવા હાઈવે રોજ આટલા કલાક રહેવાનો છે બંધ.. જાણો વિગતે
મુંબઈ(Mumbai)ના 24 વોર્ડમાં લગભગ 224 ઈમારતો જોખમી છે. ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે. આ ઈમારતના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. છતાં અમુક લોકો બિલ્ડિંગ ખાલી કરી નથી. કોઈ દુર્ઘટના થઈ તો પાલિકા(bmc) જવાબદાર નહીં હોય એવી ચેતવણી આપ્યા બાદ પણ લોકો જોખમી ખાલી કરતા નથી.
આવી જોખમી ઇમારત સી-વન કેટેગરી એટલે કે અત્યંત જોખમી હાલતમાં છે. ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે. તેથી તેના રહેવાસીઓને કોઈ પણ હિસાહે પાણીનું જોડાણ આપવામાં આવશે નહીં એવું પાલિકાના એડિશનલ કમિશનર(additional commissioner) પી.વેલરાસુએ કહ્યું હતું.