Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાને કરવો છે વધુ ભ્રષ્ટાચાર : ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનનું કામ પણ BMC કરવા માગે છે, પ્રસ્તાવ આવી ગયો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ પર નજર રાખવાનું અને એને રોકવાનું કામ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) ખાતાની છે. હાલ આ ખાતું મહારાષ્ટ્ર સરકારના નેજા હેઠળ કામ કરે છે. જોકે મુંબઈ મનપામાં રાજ કરનારી શિવસેના  FDAને ફરી પાલિકાના નિયંત્રણ હેઠળ લાવવા માગે છે. એ માટેનો પ્રસ્તાવ મુંબઈ પાલિકાના હાઉસમાં મંજૂરી માટે આવવાનો છે. જો ખાદ્ય સુરક્ષા કાયદાને અમલમાં લાવવાની સત્તા ફરી મુંબઈ મહાનગરપાલિકાને મળી ગઈ તો ભ્રષ્ટાચાર હજી વધવાની ભારોભાર શક્યતા છે.

વાત અહીં એમ છે કે શિવસેનાના નગરસેવિકા ઊર્મિલા પંચાલે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. એમાં કરવામાં આવેલી માગણી મુજબ 2011ની સાલ સુધી ખાદ્ય પદાર્થમાં થતી મિલાવટ પર નજર રાખવાની, એને રોકવાની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાની હતી. જોકે કાયદામાં સુધારો  થતાં એ અધિકાર FDA પાસે જતો રહ્યો હતો. FDA પાસે કાર્યવાહી કરવા પૂરતું મનુષ્યબળ નથી. તેમને ફરિયાદ મળે તો જ તેઓ કામ કરે છે. એમાં પણ મોટા ભાગે તેઓ મુંબઈ મનપાની જ મદદ લેતા હોય છે. તેમની કાર્યવાહી એકદમ ઠંડી જ હોય છે. એને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એથી ખાદ્ય પદાર્થમાં થનારી મિલાવટ પર નજર રાખવાની જવાબદારી ફરી પાલિકાને આપી દેવી જોઈએ.

ફિલ્મ પ્રોડ્યુસરની સાથે જ બે પ્રોડક્શન હાઉસ પણ બનાવટી વેક્સિનેશન ફ્રૉડના શિકાર બન્યા; જાણો વધુ વિગત

આ પ્રસ્તાવ પર મુંબઈ મનપાના હાઉસમાં ચર્ચા થશે. એમાં મંજૂરી મળ્યા બાદ તેને રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, પરંતુ જો આ અધિકાર ફરી પાલિકાને મળી જાય તો લાઇસન્સ આપવાથી લઈને ખાદ્ય પદાર્થમાં થનારી મિલાવટ વગેરેમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે.

Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ
Siddhivinayak Temple Renovation। અદ્ભુત અને અલૌકિક! ભક્તિભાવ સાથે બદલાશે સિદ્ધિવિનાયક મંદિરનું સ્થાપત્ય; મુખ્યમંત્રીએ શેર કરી કાયાકલ્પની ભવ્ય તસવીરો
Exit mobile version