હવામાન ખાતાએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ત્રણ -ચાર દિવસ દરમિયાન આખા કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે.
સાથે જ મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન શહેરમાં અને પરાંમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.
જોકે મુંબઇ,થાણે અને પાલઘરમાં 10, જુલાઇએ ભારે વર્ષા(યલો એલર્ટ) થવાની આગાહી છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં ચડવું છે? આરોગ્યપ્રધાને કહી દીધી આ મોટી વાત
