Site icon News Continuous Bureau | Mumbai

પહેલા વરસાદે મુંબઈમાં તૂટી પડી ઇમારત, એકનું મોત; જાણો અહીં વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં પહેલાં વરસાદમાં જ ઇમારત તૂટી પડતાં એકનો ભોગ લેવાયો છે. બાંદરા (પૂર્વ)માં રવિવારે મધરાતે એક ઇમારતનો અમુક હિસ્સો તૂટી પડતાં એકનું મોત થયું હતું. ચાર જણ જખમી થયા હતા, તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 બાંદરાના બહેરામપાડામાં ખેરવાડી રોડ પર રઝાક ચાલમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ઇમારત છે. રવિવારે મધરાતના 1.45 વાગ્યે એનો અમુક હિસ્સો તૂટીને બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળાના મકાન પર પડ્યો હતો. એના કાટમાળ હેઠળ અનેક  લોકો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. બચાવકામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.

ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ મોડી રાત હોવાથી મોટા ભાગના લોકો ઊંઘમાં હતા. ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલાં લોકલ પબ્લિક મદદ માટે દોડી ગઈ હતી. કાટમાળ હેઠળ અનેક લોકો ફસાયા હતા. ફાયરબ્રિગેડે 11 લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢ્યા હતા. એ અગાઉ લોકલ પબ્લિકે 6 લોકોને કાટમાટ હેઠળથી બહાર કાઢ્યા હતા.

જખમીઓને તુરંત બાંદરાની ભાભા હૉસ્પિટલ અને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 28 વર્ષના રિયાઝ અહેમદને હૉસ્પિટલમાં દાખલ કરતાં સમયે ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. બાકી લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એમાં મામૂલી ઈજા પહોંચી હતી, તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત …

અહીં ઉલ્લેખનયી છે કે દર વર્ષે મુંબઈ મનપા જોખમી ઇમારતનો સર્વે કરીને એને ખાલી કરવાનો અથવા સમારકામ કરવાની નોટિસ આપતી હોય છે, પરંતુ મોટા ભાગની ઇમારતના રહેવાસીઓ એની તરફ દુર્લક્ષ કરતા હોય છે અને વરસાદ પડવાની સાથે જ જોખમી ઇમારત તૂટી પડવાના બનાવ બને છે.

Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ
Siddhivinayak Temple Renovation। અદ્ભુત અને અલૌકિક! ભક્તિભાવ સાથે બદલાશે સિદ્ધિવિનાયક મંદિરનું સ્થાપત્ય; મુખ્યમંત્રીએ શેર કરી કાયાકલ્પની ભવ્ય તસવીરો
Exit mobile version