Site icon

ગરીબી મેં આટા ગિલા; મહાવિતરણે મુંબઈ રીજનમાં બિલ નહિ ભરનારા હજાર ગ્રાહકોના વીજળીના કનેક્શન કાપ્યાં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાના કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે છેલ્લા અનેક મહિનાથી કેટલાક લોકોએ વીજબિલ ભર્યા ન હતા. હવે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSDCL)એ મુંબઈ રીજનના આવા પાંચ હજાર ગ્રાહકોનાં જોડાણ હંગામી ધોરણે કાપી નાખ્યાં છે. મુંબઈ, થાણે, પનવેલ સહિતના ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અગાઉ પણ પ્રથમ લૉકડાઉન બાદ મહાવિતરણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી અનેઘણા ગ્રાહકો પાસેથી બિલની રકમ વસૂલ્યા બાદ વીજપુરવઠો પૂર્વવત્ કરાયો હતો, પરંતુ કોરોનાને કારણે થયેલા બીજા લૉકડાઉનને કારણે આ કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. હવે આ મહિનાથી મહાવિતરણે ફરી વીજજોડાણ કાપવાનું શરૂ કરી દીધું હતું.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં રેસિડેન્શિયલ, કૉમર્શિયલ યુનિટના બે લાખ ગ્રાહકોએ દસ મહિનાથી બિલ બાકી રહ્યા હતા, જેની કુલ રકમ ૪૮,૫૦૦ કરોડ જેટલી હતી. મુંબઈ રીજનમાં આ રકમ ૨૪૨ કરોડ જેટલી હતી.

 

 

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version