મહિનાઓથી ગુમ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કોર્ટના શરણે, અદાલતના આ આદેશને રદ કરવાની કરી માંગ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.
મહિનાઓથી ગુમ થયેલા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે નીચલી અદાલતમાં અરજી કરી અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માંગ કરી છે.

પરમબીર સિંહે એડવોકેટ ગુંજન મંગલા મારફત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ અરજી કરી છે. 

હવે આ મામલે 29 નવેમ્બરે સુનાવણી થશે.

પરમ બીર સિંહ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેમની સામેના ખંડણીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે.

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More