Site icon News Continuous Bureau | Mumbai

મહિનાઓથી ગુમ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કોર્ટના શરણે, અદાલતના આ આદેશને રદ કરવાની કરી માંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.
મહિનાઓથી ગુમ થયેલા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે નીચલી અદાલતમાં અરજી કરી અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Channel

પરમબીર સિંહે એડવોકેટ ગુંજન મંગલા મારફત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ અરજી કરી છે. 

હવે આ મામલે 29 નવેમ્બરે સુનાવણી થશે.

પરમ બીર સિંહ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેમની સામેના ખંડણીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે.

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું
 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version