Site icon

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકને પોલીસે આ શહેરમાંથી ઝડપ્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની બેંગ્લોરથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

મુંબઈ પોલીસની સાયબર સેલે 34 વર્ષના જયસિંહ રાજપૂત નામના આ યુવકની ધરપકડ કરી છે. આદિત્ય ઠાકરેને 8 ડિસેમ્બરના રાતના 12 વાગે તેમના વોટ્સએપ નંબર પર ધમકી આપતો મેસેજ આ યુવકે મોકલ્યો હતો. આરોપીએ  ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભમાં આદિત્ય ઠાકરે પર આરોપ કર્યા હતા. 

આરોપી યુવકે ધમકીભર્યા મેસેજ મોકલતા પહેલા ત્રણ વખત ફોન પણ કર્યા હતા. આદિત્યએ ફોન નહીં ઉંચકતા તેણે મેસેજ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ કરીને આરોપી યુવકને બેંગ્લોરથી શોધી કાઢ્યો હતો.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશન સુધી દોડશે. જાણો વિગત

Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version