Site icon

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકને પોલીસે આ શહેરમાંથી ઝડપ્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની બેંગ્લોરથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

મુંબઈ પોલીસની સાયબર સેલે 34 વર્ષના જયસિંહ રાજપૂત નામના આ યુવકની ધરપકડ કરી છે. આદિત્ય ઠાકરેને 8 ડિસેમ્બરના રાતના 12 વાગે તેમના વોટ્સએપ નંબર પર ધમકી આપતો મેસેજ આ યુવકે મોકલ્યો હતો. આરોપીએ  ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભમાં આદિત્ય ઠાકરે પર આરોપ કર્યા હતા. 

આરોપી યુવકે ધમકીભર્યા મેસેજ મોકલતા પહેલા ત્રણ વખત ફોન પણ કર્યા હતા. આદિત્યએ ફોન નહીં ઉંચકતા તેણે મેસેજ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ કરીને આરોપી યુવકને બેંગ્લોરથી શોધી કાઢ્યો હતો.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશન સુધી દોડશે. જાણો વિગત

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version