Site icon News Continuous Bureau | Mumbai

Bombay High Court: રાહુલ ગાંધી, ધ્રુવ રાઠી, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ EVM હેકિંગ વિશે ખોટા સમાચાર ફેલાવવા બદલ બોમ્બે હાઈકોર્ટમાં અરજી… જાણો વિગતે.

Bombay High Court: દેશમાં EVM હેકિંગ વિશે ખોટા સમાચાર ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને યુટ્યુબર ધ્રુવ રાઠી સામે અવમાનનાની કાર્યવાહી કરવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

Petition in Bombay High Court against Rahul Gandhi, Dhruv Rathee, Uddhav Thackeray for spreading false news about EVM hacking

Petition in Bombay High Court against Rahul Gandhi, Dhruv Rathee, Uddhav Thackeray for spreading false news about EVM hacking

News Continuous Bureau | Mumbai

Bombay High Court: દેશમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, શિવસેના (ઉદ્ધવ) નેતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને યુટ્યુબર ધ્રુવ રાઠી ( Dhruv Rathee )વિરુદ્ધ હવે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં EVM હેકિંગની અફવા ફેલાવવા બદલ તેમની સામે અવમાનની કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકોએ પોતાના ‘અંગતઃ હેતુ’ સિદ્ધ કરવા માટે, EVM વિશે અલગ-અલગ મંતવ્યો બનાવ્યા હતા અને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. તેમજ નાગરિકોને ખોટી રીતે પ્રભાવિત કર્યા હતા. તો મિડ-ડે અખબારે 16 જૂન 2024ના રોજ એક સમાચાર પ્રકાશિત કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM મશીનો ( EVM Machine ) OTP દ્વારા અનલોક કરી શકાય છે. વિપક્ષે તેનો ઉપયોગ દેશના લોકતંત્ર પર સવાલ ઉઠાવવા માટે કર્યો હતો. મિડ-ડે અખબારમાં 16 જૂનના રોજ પ્રકાશિત 5 કૉલમના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે NDA ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીઓ મતદાન ગણતરી મથક પર મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ મોબાઈલના OTP દ્વારા EVM અનલોક ( EVM hacking ) કરી શકાતુ હતું. આ બાદ પોલીસે આ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો હતો. જોકે, બાદમાં મિડ-ડેએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને માફી માંગી હતી.

Bombay High Court: આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ શ્યામ ચાંડક અને જસ્ટિસ મોહિતે-ડેરેની બેંચમાં થઈ હતી.

તો બીજી તરફ અરજીકર્તાનો આરોપ છે કે ધ્રુવ રાઠી અને અન્ય લોકોને સતત ખોટા સમાચાર ફેલાવીને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આમ કરવું એ નિલેશ નવલખા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા (2021)માં બોમ્બે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. આ ક્રમમાં મીડિયાને મીડિયા ટ્રાયલનો આશરો ન લેવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અરજી અનુસાર, રાહુલ ગાંધી, ધ્રુવ રાઠી સહિત તમામ આરોપીઓએ તે આદેશનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે પેન્ડિંગ પિટિશન પર કોઈ અભિપ્રાય બનાવવો અને લોકોમાં ખોટી માહિતી ફેલાવવી ખોટું છે. આમ કરવું એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની કલમ 2(c) હેઠળ સજાપાત્ર ગુનો છે.

આ સમાચાર પણ વાંચો :  Trees Cutting: મુંબઈમાં ચોમાસાની શરૂઆત થયા બાદ હવે વૃક્ષોની કાપણીની તપાસ કરવામાં આવશે.. જાણો વિગતે.

આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ શ્યામ ચાંડક અને જસ્ટિસ મોહિતે-ડેરેની બેંચમાં થઈ હતી. જેમાં અરજદારે ( Rahul Gandhi ) રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) , ધ્રુવ રાઠી, આદિત્ય ઠાકરે ( Aditya Thackeray ) અને સંજય રાઉત વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ, 1971ની કલમ 2 (B) અને 12 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વધુમાં, અરજદારે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે પોલીસને જાહેર તંત્રનો દુરુપયોગ કરવાથી અને ઉપરોક્ત વ્યક્તિઓ સામે કલમ 192, 193, 107, 409, 120 હેઠળ FIR નોંધવાની સૂચનાઓ આપવી જોઈએ. તો અરજીમાં, અરજદારે રાહુલ ગાંધી, ધ્રુવ રાઠી, ઉદ્ધવ ઠાકરે અને અન્યના ‘અંતર્ગત હેતુઓ’ની તપાસ માટે CBI, IB અને ED સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાની માંગ કરી છે. દરમિયાન, અરજદારે જસ્ટિસ રેવતી મોહિતે- ઢેરેને કેસની સુનાવણીથી દૂર રહેવા વિનંતી કરી કારણ કે જસ્ટિસ ખેરેની બહેન શરદ પવારની પાર્ટી NCP સાથે સંકળાયેલી છે. આ ખંડપીઠે અરજી પર સુનાવણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ અરજી તેમની બેન્ચ સમક્ષ ભૂલથી આવી હતી. અરજદારોને મુખ્ય ન્યાયાધીશનો સંપર્ક કરવા અને તેમની અરજીને યોગ્ય બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવા વિનંતી કરવામાં આવી હતી.

 

Mumbai Minor Kidnapping Case। મુંબઈની સગીરાનું અપહરણ કરી બિહારમાં બળજબરીથી લગ્ન કરાવ્યા પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી
Byculla Dockyard Road Firing Case। ભાયખલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો અપમાનનો બદલો લેવા હુમલો કરાયો, બે શાર્પશૂટર ઝડપાયા
Kalyan ST Depot Brawl। કલ્યાણ બસ ડેપોમાં મુસાફરની પૂછપરછ પર કર્મચારી ભડક્યો યુવક સાથે છુટાહાથની મારામારી
Mumbai CNG Price Hike| મુંબઈમાં મોંઘવારીનો માર! CNG ના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા ભાવ; રિક્ષાટેક્સી ચાલકોએ કરી આ માંગ
Exit mobile version