Site icon News Continuous Bureau | Mumbai

થાણે-દીવા વચ્ચેની પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે લોકાર્પણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર, 

થાણે અને દીવા વચ્ચે પાંચમી અને 6ઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે સેન્ટ્રલ રેલવે તરફથી અનેક મેગાબ્લોક અને જમ્બો મેગાબ્લોક લેવામાં આવ્યા હતા. હવે થાણે અને દિવ્યા વચ્ચે આ બંને લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આજે આ બંને લેનની ઉપનગરીય સેવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે. 

છેલ્લા ઘણા વર્ષોથી સેન્ટ્રલ રેલવે દ્વારા પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ ચાલી રહ્યું છે. છેવટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાણે અને દીવા વચ્ચેની 5મી અને 6ઠ્ઠી લાઇનના કામને લીલીઝંડી બતાવશે. આજે સાંજે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

સુપ્રીમ કોર્ટે આ રાજ્યની હાઈકોર્ટનો નિર્ણય કર્યો રદ, ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોને રોજગાર મળી રહેશે; જાણો વિગતે 

થાણે અને દીવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનને કારણે કુર્લાથી કલ્યાણ સુધીની લાંબા અંતરની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે. લોકમાન્ય તિલક ટર્મિનસ (કુર્લા પાસે) થી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો ઉપનગરીય ટ્રાફિકમાં કોઈપણ અવરોધ વિના પાંચમા અને  છઠ્ઠા રૂટ પર કલ્યાણ પહોંચી શકે છે. તેનાથી રેલવેની ફ્રીકવન્સી અને ટ્રેનોના સમયમાં સુધારો થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કલ્યાણ વચ્ચે 36 વધારાની ઉપનગરીય સેવાઓ શરૂ કરવામાં આવશે, જેમાં 34 એર-કન્ડિશન્ડ અને બે સાદી લોકલ સેવાનો સમાવેશ થાય છે. 

Mumbai AC Local Breakdown રેલવેની ઘોર બેદરકારી એસી લોકલમાં એસી બંધ થતા ગુંગળામણ, આટલા મુસાફરો બેભાન..
Mumbai Water Metro Network મુંબઈમાં સાકાર થશે વિશ્વનું સૌથી મોટું ‘વોટર મેટ્રો નેટવર્ક’ ૬,૦૬૬ કરોડ રૂપિયાનો મેગા પ્રોજેક્ટ, ‘આ’ વર્ષ સુધીમાં શરૂ થશે ૩૩ જળમાર્ગો
Mumbai Local Train Face Off ભયાનક અકસ્માતમાંથી બચાવ ચર્ની રોડ પર ટ્રેનો સામસામે આવી જતાં મુસાફરોમાં ફફડાટ…
Ketan Agrawal Case સિયાચેતનના ‘સિક્રેટ મેરેજ’થી કેસમાં મોટો ટ્વિસ્ટ, શું આ લગ્ન આરોપીઓને અપાવશે કાનૂની સુરક્ષા?
Exit mobile version