Site icon News Continuous Bureau | Mumbai

બદલી અને પ્રમોશન માટે બારોબાર અરજી કરનારા પોલીસ અધિકારીઓનું આવી બનશે, મુંબઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું નવું ફરમાન? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બદલી અને પ્રમોશન માટેની અરજી સીધી મહારાષ્ટ્ર ડાયરેક્ટર જનરલની ઑફિસમાં મોકલનારા પોલીસ અધિકારીઓ સામે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળે આંખ લાલ કરી છે. કમિશનર ઑફિસને નહીં ગણકારનારા અમુક અધિકારી અને કર્મચારીઓને મુંબઈ કમિશનરે ચોખ્ખા શબ્દોમાં સીધા ચાલવાની ચેતવણી આપી દીધી હોવાનું કહેવાય છે. 

અમુક અધિકારીઓ અને કર્મચારીઓએ મુંબઈ શહેરની બહાર અથવા અન્ય ખાતામાં બદલી અથવા પ્રમોશન માટે નિયમ મુજબ મુંબઈ પોલીસની ઑફિસમાં અરજી મોકલવાની હોય છે, પરંતુ આ લોકો એમ નહીં કરતાં બારોબાર સીધી મહારાષ્ટ્ર ડાયરેક્ટર જનરલની ઑફિસમાં અરજી મોકલતા હોય છે. હવેથી આ અધિકારીઓએ પહેલા પોતાની અરજી મુંબઈ પોલીસ કમિશનર ઑફિસમાં નહીં મોકલી તો આવા લોકો સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે એવો લેખિત આદેશ કમિશનરે આપ્યો હોવાનું કહેવાય છે.
મોટા સમાચાર: આ તારીખ સુધીમાં દેશભરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર, બદલાશે વીજળીના બિલ ભરવાની પદ્ધતિ

Join Our WhatsApp Community
Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version