Site icon

કોરોનાના ગંભીર સંકટ વચ્ચે મુંબઈગરા માટે રાહતના સમાચાર; પાલિકાના સર્વેમાં ૫૦% બાળકોમાં ઍન્ટીબૉડીઝ મળી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાના બદલાતાં રૂપ સાથે ડેલ્ટા વેરિયન્ટના કારણે રાજ્યભરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોની પૃષ્ઠભૂમિ સામે મુંબઈગરા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ત્રીજા સેરો સર્વેમાં 50 ટકાથી વધુ બાળકોમાં એન્ટિબૉડીઝ મળી આવી છે. 6થી 18 વર્ષની વયનાં બાળકોનો મે અને જૂનમાં મુંબઈના 24 વૉર્ડમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

ત્રીજી લહેરમાં નાનાં બાળકોને કોરોનાનું જોખમ વધારે હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. એથી સેરો સર્વેનાં પરિણામો આશાસ્પદ માનવામાં આવે છે. સર્વે માટે કુલ 2176 બાળકોના નમૂના લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ મીડિયાને જણાવ્યું હતું કે મુંબઈમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો સેરો સર્વે કરવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલથી ૧૫ જૂન દરમિયાન પાલિકાના 24 વૉર્ડમાં બાળકોના નમૂના લેવામાં આવ્યા છે.

મુંબઈગરાઓની ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એક નવો ફ્લાય ઓવર ખુલ્લો મુકાયો, બાંદ્રાથી વડાલા માત્ર 10 મિનિટમાં પહોંચો; જાણો વિગત

આમાં જાણવા મળ્યું છે કે 50 ટકાથી વધુ બાળકોમાં ઍન્ટિબોડીઝ વિકસિત થઈ છે. દરેક વૉર્ડનાં100 બાળકોના નમૂના કોઈ માપદંડ વિના લેવામાં આવ્યા હતા. આ સારા સમાચાર છે. શરૂઆતમાં એક સર્વે કરવામાં આવ્યો ત્યારે આ દર 21 ટકા હતો, પરંતુ હવે તે 50 ટકા થઈ ગયો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version