Site icon

મોટા સમાચાર : હવે કોરોના થયો તો ઓછામાં ઓછા આટલા દિવસ ઘરે રહેવું પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મુંબઈ શહેરમાં હવે જેને કોરોના થશે તેણે ન્યૂનતમ 17 દિવસ કોરન્ટીન રહેવું પડશે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પરિપત્ર જાહેર કર્યો છે. વાત એમ છે કે લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ હતી કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેણે માત્ર સાત દિવસ ઘરે રહેવું પડે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ સંદર્ભે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દીધી છે. નવા નિયમ મુજબ જે વ્યક્તિને લક્ષણ ન હોય અને તે પોતાના ઘરે ઈલાજ કરાવી રહી હોય તે વ્યક્તિએ કુલ ૧૭ દિવસ ઘરે રહેવું પડે. આ ઉપરાંત જે વ્યક્તિ હોસ્પિટલમાં ભરતી થઈ હોય તેણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી ઓછામાં ઓછા સાત દિવસથી ૧૦ દિવસ ઘરે રહેવું પડે.

Join Our WhatsApp Community


હવે જો કોઈ વ્યક્તિને ઘરે ઉપચાર કર્યા બાદ કોરન્ટીન સમયમાંથી બહાર આવવું હોય તો તેણે સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાના ડોક્ટર ને પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે માહિતી આપવી પડશે અને ત્યારબાદ ડોક્ટર પાસેથી પરવાનગી મળ્યા બાદ ઘરની બહાર નીકળી શકાશે.

Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Exit mobile version