Site icon

મોટા સમાચાર : હવે કોરોના થયો તો ઓછામાં ઓછા આટલા દિવસ ઘરે રહેવું પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મુંબઈ શહેરમાં હવે જેને કોરોના થશે તેણે ન્યૂનતમ 17 દિવસ કોરન્ટીન રહેવું પડશે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પરિપત્ર જાહેર કર્યો છે. વાત એમ છે કે લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ હતી કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેણે માત્ર સાત દિવસ ઘરે રહેવું પડે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ સંદર્ભે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દીધી છે. નવા નિયમ મુજબ જે વ્યક્તિને લક્ષણ ન હોય અને તે પોતાના ઘરે ઈલાજ કરાવી રહી હોય તે વ્યક્તિએ કુલ ૧૭ દિવસ ઘરે રહેવું પડે. આ ઉપરાંત જે વ્યક્તિ હોસ્પિટલમાં ભરતી થઈ હોય તેણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી ઓછામાં ઓછા સાત દિવસથી ૧૦ દિવસ ઘરે રહેવું પડે.

Join Our WhatsApp Community


હવે જો કોઈ વ્યક્તિને ઘરે ઉપચાર કર્યા બાદ કોરન્ટીન સમયમાંથી બહાર આવવું હોય તો તેણે સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાના ડોક્ટર ને પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે માહિતી આપવી પડશે અને ત્યારબાદ ડોક્ટર પાસેથી પરવાનગી મળ્યા બાદ ઘરની બહાર નીકળી શકાશે.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version