Site icon

મોટા સમાચાર : હવે કોરોના થયો તો ઓછામાં ઓછા આટલા દિવસ ઘરે રહેવું પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મુંબઈ શહેરમાં હવે જેને કોરોના થશે તેણે ન્યૂનતમ 17 દિવસ કોરન્ટીન રહેવું પડશે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પરિપત્ર જાહેર કર્યો છે. વાત એમ છે કે લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ હતી કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેણે માત્ર સાત દિવસ ઘરે રહેવું પડે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ સંદર્ભે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દીધી છે. નવા નિયમ મુજબ જે વ્યક્તિને લક્ષણ ન હોય અને તે પોતાના ઘરે ઈલાજ કરાવી રહી હોય તે વ્યક્તિએ કુલ ૧૭ દિવસ ઘરે રહેવું પડે. આ ઉપરાંત જે વ્યક્તિ હોસ્પિટલમાં ભરતી થઈ હોય તેણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી ઓછામાં ઓછા સાત દિવસથી ૧૦ દિવસ ઘરે રહેવું પડે.

Join Our WhatsApp Community


હવે જો કોઈ વ્યક્તિને ઘરે ઉપચાર કર્યા બાદ કોરન્ટીન સમયમાંથી બહાર આવવું હોય તો તેણે સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાના ડોક્ટર ને પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે માહિતી આપવી પડશે અને ત્યારબાદ ડોક્ટર પાસેથી પરવાનગી મળ્યા બાદ ઘરની બહાર નીકળી શકાશે.

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version