Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : હવે કોરોના થયો તો ઓછામાં ઓછા આટલા દિવસ ઘરે રહેવું પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મુંબઈ શહેરમાં હવે જેને કોરોના થશે તેણે ન્યૂનતમ 17 દિવસ કોરન્ટીન રહેવું પડશે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પરિપત્ર જાહેર કર્યો છે. વાત એમ છે કે લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ હતી કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેણે માત્ર સાત દિવસ ઘરે રહેવું પડે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ સંદર્ભે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દીધી છે. નવા નિયમ મુજબ જે વ્યક્તિને લક્ષણ ન હોય અને તે પોતાના ઘરે ઈલાજ કરાવી રહી હોય તે વ્યક્તિએ કુલ ૧૭ દિવસ ઘરે રહેવું પડે. આ ઉપરાંત જે વ્યક્તિ હોસ્પિટલમાં ભરતી થઈ હોય તેણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી ઓછામાં ઓછા સાત દિવસથી ૧૦ દિવસ ઘરે રહેવું પડે.

Join Our WhatsApp Channel


હવે જો કોઈ વ્યક્તિને ઘરે ઉપચાર કર્યા બાદ કોરન્ટીન સમયમાંથી બહાર આવવું હોય તો તેણે સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાના ડોક્ટર ને પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે માહિતી આપવી પડશે અને ત્યારબાદ ડોક્ટર પાસેથી પરવાનગી મળ્યા બાદ ઘરની બહાર નીકળી શકાશે.

Mithi River Makeover પ્રકૃતિ અને વિકાસનો અદ્ભુત સમન્વય મીઠી નદી કિનારે ૩ કિમી લાંબો આકર્ષક પ્રોમેનેડ બનશે, હજારો વૃક્ષો સુરક્ષિત
BMC Police Cases Against Housing Societies પર્યાવરણ સાથે ચેડાં કરનાર સોસાયટીઓ સકંજામાં ગેરકાયદે ઝાડ કાપવા બદલ BMCએ નોંધાવી પોલીસ ફરિયાદ..
Mumbai High Court FDA ન્યાય મળ્યો! નિયમો પાળવા છતાં પરેશાન કરનાર FDA સામે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, મોટો ચુકાદો
Juhu Redevelopment TDR Option જુહૂઅંધેરીના લાંબા સમયથી અટકેલા પુનર્વિકાસના કામો ઝડપી બનશે, રાજ્ય સરકારનો આ માસ્ટરપ્લાન તૈયાર..
Exit mobile version