News Continuous Bureau | Mumbai
Raj Thackeray Warns Jain Delegation સોસાયટીઓમાં ધાર્મિક કાર્યો દરમિયાન મારવામાં આવતા સફેદ પટ્ટાઓ (White Strips) ના વિવાદ વચ્ચે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ જૈન સમાજના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ બંધ કરી સામાજિક શાંતિ જાળવવાની કડક સૂચના આપી છે.
Raj Thackeray Warns Jain Delegation – વિવાદિત સફેદ પટ્ટાઓ પર સવાલો
રાજ ઠાકરેએ જૈન પ્રતિનિધિમંડળને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, સોસાયટીઓમાં જે સફેદ પટ્ટા મારવામાં આવે છે, તે દ્વારા તમે શું સાબિત કરવા માંગો છો? તેમણે સૂચન કર્યું કે જો મુનિઓ આવવાના હોય, તો કાર્પેટ પાથરવાની વ્યવસ્થા કરો અને કામ પૂરું થાય એટલે તેને દૂર કરો. રસ્તા કે સોસાયટીમાં દરેક જગ્યાએ સફેદ પટ્ટા મારીને તમે ટ્રાફિક વિભાગ (Traffic Department) નું કામ કરી રહ્યા છો કે શું? તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
Raj Thackeray Warns Jain Delegation – રાજકીય પક્ષોના નાદે ન લાગવાની સલાહ
મનસે પ્રમુખે ચેતવણી આપી કે, ‘તમે કોઈ રાજકીય પક્ષના નાદે લાગીને અમારા પર રોફ ન જમાવો. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારી વિચારવાની શક્તિ ભડકાવવામાં આવી રહી છે.’ તેમણે ઉમેર્યું કે, ‘તમારી વિચારવાની ક્ષમતા કદાચ ઓછી ભડકતી હશે, પણ જો અમારી ક્ષમતા ભડકી ગઈ તો શું થશે તેનો વિચાર કરજો.’ તેમણે જૈન સમાજને રાજકીય નેતાઓની ચાલબાજીથી દૂર રહેવાની અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાની સલાહ આપી છે.
Raj Thackeray Warns Jain Delegation – ‘વ્યાપારી છો, વ્યાપાર કરો’
વર્ષોથી ગુજરાતી અને અન્ય સમાજ સાથે મુંબઈમાં કોઈ પણ પ્રકારના ઝઘડા વગર રહી રહ્યા છીએ, પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં આ પ્રકારના વિવાદો કેમ વધી રહ્યા છે? તેવો સવાલ તેમણે કર્યો હતો. ‘ઉપર બે ગુજરાતીઓ બેઠા છે એટલે અમે કંઈ પણ કરીશું’ તેવી માનસિકતા ખોટી છે, તેમ જણાવીને તેમણે કહ્યું કે, ‘તમે વ્યાપારી લોકો છો, તમારો વ્યાપાર કરો, શાંતિથી રહો અને શાંતિથી જીવવા દો.’ તેમણે અંતમાં ભારપૂર્વક કહ્યું કે ધાર્મિક કાર્યોમાં કોઈને વાંધો નથી, પરંતુ તે મર્યાદામાં રહીને કરવા જોઈએ.
👉 આ સમાચાર વાચો:
BMC Solar Tree Initiative મુંબઈના જાહેર બગીચાઓ બનશે 'સ્માર્ટ ગ્રીન સેન્ટર' BMC નો અનોખો 'સોલર ટ્રી' પ્રોજેક્ટ શરૂ