251
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનેશન કાર્યક્રમને બે દિવસ માટે સ્થગિત કર્યો હતો. વાત એમ છે કે મુંબઈ શહેરમાં વાવાઝોડાની અસરને કારણે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે મંગળવારના દિવસથી આ કાર્યક્રમ જ્યારે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ અનેક સેન્ટરો પર કાર્યક્રમ બંધ રાખ્યો છે તેમ જ કેલાંક સેન્ટરો પર કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. આ સંદર્ભેની સૂચિ મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરી છે. જોકે આ સૂચિ છેક સવારે 7:00 વાગ્યે જાહેર કરવામાં આવી. આ ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના અને પહેલો ડોઝ લેનારી વ્યક્તિને જ વેક્સિન આપવામાં આવશે એવું જાહેર કરાયું છે. આમ વેક્સિન લેનાર લોકોની તકલીફ વધી ગઈ છે. નીચે સૂચિ આપવામાં આવી છે જેને વેક્સિન સેન્ટર પર જતાં પહેલા વાંચી લેશો.




You Might Be Interested In