Site icon News Continuous Bureau | Mumbai

શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? જરૂરી નથી કે કોરોના હોય. મુંબઈમાં ફેલાયો છે આ નવો રોગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈમાં કોરાનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી લોકોમાં શ્વાસતંત્રને લગતી બીમારી જોવા મળી રહી છે. એથી ફરી એક વખત મુંબઈગરામાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્વાસ લેવામાં થતી તકલીફ માટે કોરોના નહીં, પણ વાયરલ ફીવર જવાબદાર હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.

સામાન્ય રીતે કફ, તાવ અને શરદી જેવાં લક્ષણો જણાતાં જ કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી કોરોના હોય તો એની તાત્કાલિક સારવાર ચાલુ કરી શકાય. ગયા વર્ષે ચોમાસા દરમિયાન જ લૉકડાઉન હોવાથી કોરાના સિવાયની અન્ય બીમારીના કેસ ઘટી ગયા હતા. જોકે હાલ કોરોનાની અસર ઓછી થઈ છે ત્યારે ડૉક્ટરોએ વાયરલ ફીવર સહિતની અન્ય બીમારીઓ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! CET રજિસ્ટ્રેશનની વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ; વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જાણો વિગત 

નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ ચોમાસામાં વાયરલ ફીવર વગેરેના કેસ વધી જતા હોય છે. હાલ બાળકો  અને પુખ્ત વયના લોકોમાં તાવ અને શ્વાસને લગતી તકલીફ જણાઈ રહી છે. જોકે એ તમામ કેસ કોરોનાના નથી હોતા, પરંતુ  ચોમાસામાં સામાન્ય ગણાતા વાયરસને કારણે લોકોને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો થઈ રહી છે. ખાસ કરીને બાળકોમાં છેલ્લા થોડા દિવસમાં એનું પ્રમાણ વધી ગયું છે.

આવાં લક્ષણો ધરાવતા કેસ આવે તો સામાન્ય રીતે પહેલા તો કોરોનાની જ ટેસ્ટ કરવામાં આવે છે, જે મોટે ભાગે  નેગેટિવ આવે છે.  બાદમાં RSV અથવા રેસપિરેટરી સિન્સિટિયલ વાયરસની ટેસ્ટ કરવામાં આવે છે.  આ વાયરસનો ચેપ લાગ્યા બાદ ઠંડી લાગે છે. સામાન્ય રીતે બાળક અને વરિષ્ઠ નાગિરકોને એનું જોખમ વધારે હોય છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version