મુંબઈમાં ટ્રાફિક ઘટાડવા માટે નવો કીમિયો, મુંબઈ અને થાણેમાં આવતા ભારે વાહનો માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

શનિવાર. 

મુંબઈ અને થાણે આવતા ભારે વાહનો પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારથી પ્રતિબંધ રહેશે.

સવારે 7.30 થી 10 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ભારે વાહનોને મુંબઈ અને થાણે તરફ જવા દેવામાં આવશે નહીં.

પાલઘર જિલ્લા કલેક્ટર ડો. માણેક ગુરસાલ દ્વારા થાણે શહેર ખાતે દહિસર ચેક નાકા પાસે ટ્રાફિકને ઓછો કરવા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પ્રતિબંધો આગામી એક મહિના સુધી અમલમાં રહેશે.

દાદરના વેપારીઓની અનોખી પહેલ, જે લોકો શોપિંગ માટે આવશે તેમને મફત પાર્કિંગ. પોલીસ અને મહાનગર પાલિકા પણ મદદમાં જોડાયા. જાણો વિગતે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *