176
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
મુંબઈ અને થાણે આવતા ભારે વાહનો પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારથી પ્રતિબંધ રહેશે.
સવારે 7.30 થી 10 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ભારે વાહનોને મુંબઈ અને થાણે તરફ જવા દેવામાં આવશે નહીં.
પાલઘર જિલ્લા કલેક્ટર ડો. માણેક ગુરસાલ દ્વારા થાણે શહેર ખાતે દહિસર ચેક નાકા પાસે ટ્રાફિકને ઓછો કરવા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પ્રતિબંધો આગામી એક મહિના સુધી અમલમાં રહેશે.
Join Our WhatsApp Community