Site icon News Continuous Bureau | Mumbai

શું સીએસટી રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો માટે લોકલ ફરી દોડાવવા માટેનું રીહર્સલ થઇ રહ્યું છે? જાણો અહીં શું વ્યવસ્થા છે….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ઓક્ટોબર 2020

મધ્ય રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ગેટ પર ટિકિટ ચેકીંગ સાથે થર્મલ ઇન્સ્પેક્શન પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મધ્ય રેલ્વેએ કોરોના કાળમાં રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ટિકિટ સાથે થર્મલ ઇન્સ્પેક્શન ગેટ પર જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સૌ પ્રથમ આનો અમલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે શરૂ કરવામાં આવશે. આ બિનજરૂરી ભીડને અટકાવશે, સાથે જે મુસાફરોને કોરોના હોવાની શંકા હશે તેને તાત્કાલિક ધોરણે અલગ કરી દેશે. આમ કરવાથી ટ્રેનના અન્ય મુસાફરો માટે સલામત મુસાફરીની ખાતરી રહેશે. ઉપરાંત, પ્રવેશદ્વાર પર ટિકિટ પરનો ક્યૂઆર કોડ ચેક કરવામાં આવશે ત્યારે જ ટિકિટની માન્યતા પણ સ્કેન કરવામાં આવશે. 

બીજી તરફ થર્મલ સ્કેનીંગ મશીન સંબંધિત મુસાફરોના શરીરનું તાપમાન તપાસશે. આ બંને બાબતો ચેક થયા બાદ જ પ્રવેશદ્વાર ખુલશે અને મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સીએસએમટી મેઇલ-એક્સપ્રેસ માટેના પ્રવેશ દ્વાર એક મહિનામાં કાર્યરત થઈ જશે. હાલમાં, તે પ્રાયોગિક ધોરણે ચાલુ કરાયાં છે, એમ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું. આમ કહી શકાય કે આગામી દિવસોમાં CSMT ચાલુ કર્યા બાદ અહીંથી ઉપડતી લોકલ ટ્રેનો માટે પણ આ જ ફોર્મ્યુલા અપનાવાશે એવી સંભાવના જોઈ શકાય છે..

Goregaon Creek Cable Bridge મુંબઈના વાહનચાલકોને મોટી રાહત, ગોરેગાવ ખાડી પર બનશે 418 કરોડનો 6લેન કેબલસ્ટેડ બ્રિજ.
RBI action RBIની કડક કાર્યવાહી, મુંબઈની આ બેંક પર લગાવ્યા પ્રતિબંધો, ગ્રાહકો માટે ઉપાડ મર્યાદા નક્કી.
Antop Hill CGS Colony Protest મુંબઈના એન્ટોપ હિલમાં હંગામો રસ્તાના વિવાદમાં ૨૦૦ કેન્દ્રીય કર્મચારીઓ ધરણા પર બેઠા, સ્થાનિક ધારાસભ્ય સામે રોષ
Mulund Builder Fraud FIR ફ્લેટ આપવાના નામે ૧.૫ કરોડની ઠગાઈ મુલુંડના બિલ્ડર સામે ગુનો દાખલ થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફફડાટ
Exit mobile version