Site icon News Continuous Bureau

Mumbai High Court:જૈન સમુદાયને મોટો ઝટકો; બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી તેમની આ અરજી

મુંબઈમાં પર્વ દરમિયાન 9 દિવસ માટે કતલખાના બંધ રાખવાની જૈન સમુદાયની માગને બોમ્બે હાઈકોર્ટે નકારી દીધી. ફક્ત બે દિવસ માટે જ રજાનો આદેશ.

જૈન સમુદાયને મોટો ઝટકો; બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી તેમની આ અરજી

જૈન સમુદાયને મોટો ઝટકો; બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી તેમની આ અરજી

News Continuous Bureau | Mumbai  
જૈન સમુદાયના પવિત્ર પર્વ પર્યુષણ દરમિયાન મુંબઈમાં નવ દિવસ માટે કતલખાના બંધ રાખવાનો આદેશ આપવાની વિનંતી સાથે દાખલ કરવામાં આવેલી અરજીઓને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. બુધવારે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ વર્ષે પર્યુષણ પર્વમાં તમામ નવ દિવસ કતલખાના બંધ રાખવામાં આવશે નહીં. આ મામલે તત્કાળ રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો.

જૈન સમુદાયની અરજી અને તેમની દલીલો

જૈન સમુદાયની ચાર અલગ-અલગ સંસ્થાઓએ અરજી દાખલ કરીને મુંબઈમાં 9 દિવસ માટે કતલખાના બંધ રાખવાની માગ કરી હતી. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે, ‘સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક કેસમાં આપેલા નિર્ણય અનુસાર, વિવિધતામાં એકતા જાળવવા માટે પ્રાણીઓની કતલ પર અસ્થાયી પ્રતિબંધ વાજબી ગણાય છે. ગુજરાતની સરખામણીમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને અમદાવાદ કરતાં મુંબઈમાં જૈન લોકોની વસ્તી વધુ છે, તેથી અમદાવાદની જેમ મુંબઈમાં પણ 9 દિવસનો પ્રતિબંધ લાગુ થવો જોઈએ.’

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Grahan in Pitru Paksha:પિતૃ પક્ષમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ: આ 4 રાશિઓ નું ચમકશે ભાગ્ય

BMC અને કોર્ટની ભૂમિકા

અરજીકર્તાઓની માગણીઓ ધ્યાનમાં લઈને, મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ સંદીપ મારણે ની ખંડપીઠે 7 જુલાઈએ મુંબઈ મહાનગરપાલિકાને નવેસરથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. BMC દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે, ‘મુંબઈમાં તમામ ધર્મના લોકો રહે છે અને માંસાહારી લોકોની સંખ્યા મોટી છે. જૈન ધર્મના લોકોની વસ્તી ઓછી છે. આ ઉપરાંત, દેવનાર કતલખાનું માત્ર મુંબઈ માટે નહીં, પરંતુ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી, આખા પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવાનો આદેશ આપી શકાય નહીં.’ આ મુજબ, BMC કમિશનરે પર્યુષણ પર્વ નિમિત્તે 24 અને 27 ઓગસ્ટે જ કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

‘અકબરને મનાવવા સહેલું હતું, પણ…’ ઉપહાસાત્મક ટિપ્પણી

યાચિકાકર્તાઓના વકીલ ડૉ. અભિનવ ચંદ્રચૂડે દલીલ કરી કે કમિશનરે સુપ્રીમ કોર્ટના અવલોકનો અને મુંબઈમાં મોટી સંખ્યામાં રહેતા જૈન સમુદાયને ધ્યાનમાં લીધો નથી. વરિષ્ઠ વકીલ પ્રસાદ ધાકેફાળકરે ઉપહાસાત્મક ટિપ્પણી કરી કે, ‘મુગલ બાદશાહ અકબરના સમયમાં જૈન સમુદાય માટે છ મહિના સુધી કતલખાના બંધ રખાયા હતા. બાદશાહને મનાવવા સહેલા હતા, પરંતુ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાના કિસ્સામાં તે મુશ્કેલ છે.’

 

Mumbai Party Deaths: ભોજનમાં ઝેર કે ડ્રગ્સનો ઓવરડોઝ? મુંબઈની હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં બેના મોતથી સનસનાટી, પોલીસ તપાસ તેજ
Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
Exit mobile version