News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai metro 6)ની મેટ્રો-6નું કામ જોગેશ્ર્વરી(Jogeshwari)માં રહેલા ઝૂંપડાંઓને કારણે અટવાઈ પડ્યું હતું. આ મેટર હાઈ કોર્ટ(Bombay High court)માં હતી. છેવટે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુંબઈના જોગેશ્વરીમાં રહેલી 150 ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને મેટ્રો રેલ 6 પ્રોજેક્ટ માટે બે અઠવાડિયામાં ઝૂંપડાં ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) ઝડપથી મેટ્રોનું કામ પૂરું કરી શકશે એવું માનવામાં આવે છે.
બોમ્બે હાઈકોર્ટે સ્વામી સમર્થ નગર-JVLR-SEEPZ-કાંજુરમાર્ગ-વિક્રોલી (EEH) મેટ્રો રેલ કોરિડોર (મેટ્રો 6) પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ (PAP)ના નવેસરથી સર્વે કરવાની માંગ કરતી 150 થી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓની અરજીને ફગાવી દીધી છે.
આર.ડી. ધાનુકા અને એમ.જી. સિવલીકર ની ડિવિઝન બેન્ચે, 27 જૂને, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને ફગાવી દીધી હતી. અરજીકર્તાઓને આજથી બે અઠવાડિયાની અંદર વર્તમાન માળખાં ખાલી કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે ઇડીના આંટામાં ફસાયા- તપાસ એજન્સીએ આ કેસમાં પાઠવ્યું સમન્સ- જાણો વિગતે
અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે જે જગ્યા પર અરજદારોના બાંધકામ છે, તે જમીન મેટ્રો-6 લાઈન માટે જરૂરી તરીકે ઓળખાયેલી અને નિર્ધારિત જમીન છે શું તે માટે MMRDAને નવેસરથી સર્વેક્ષણ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. તેઓએ મેટ્રો 6 પ્રોજેક્ટ માટે સામાજિક-આર્થિક આધારરેખા સર્વેક્ષણમાં તેમના ઝૂંપડાઓનો સમાવેશ કરવામાં આવે એવી વિનંતી પણ કરી હતી.
ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ, તેઓ પ્રોજેક્ટ અફેક્ટેડ (PAP)લોકો છે અને જોગેશ્વરી (પૂર્વ) વોર્ડમાં જોગેશ્વરી રેલ્વે સ્ટેશનની બાજુમાં નં.43 C.T.S ધરાવતા જમીનના પ્લોટ પર ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડામાં રહેતા આવેલું છે. તેઓ રોજ કમાઈને ખાનારા છે.
તેઓએ આક્ષેપ કર્યો હતો કે MMRDAએ સર્વેક્ષણ હાથ ધરવા અને કટ-ઓફ તારીખ નક્કી કરવા માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી. આથી, અરજદારોના નામ PAP તરીકે સામેલ કરવામાં આવ્યા ન હતા.
જો કે, MMRDAએ તેમના દાવાઓને વિવાદિત કરતા જણાવ્યું હતું કે સર્વેક્ષણ દરમિયાન, અસરગ્રસ્ત વિસ્તારમાં અરજદારોની ઝૂંપડીઓ મળી ન હતી. "ઉક્ત સ્થાન પર ડ્રોન સર્વે દ્વારા તૈયાર કરાયેલ સર્વેક્ષણ નકશો જોવા પર, તે સ્થાન પર કોઈ ઝૂંપડપટ્ટીઓ જોવામાં આવી ન હતી," MMRDA એ ઉમેર્યું હતું કે તેણે તે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને PAP જાહેર કર્યા છે જેમની ઝૂંપડીઓ સર્વેક્ષણ સમયે સ્થાન પર મળી આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા-કોલાબા વિસ્તારમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો-પડ્યો આટલા મિલીમીટર વરસાદ-જનજીવન થયું ઠપ
MMRDAએ દલીલ કરી હતી કે અદાલતે પહેલા નક્કી કરવું પડશે કે સર્વેક્ષણ સમયે અરજદારોની ઝૂંપડીઓ સ્થળ પર હતી કે કેમ.?
MMRDA એ સર્વે કરવા માટે એક ખાનગી એજન્સીની નિમણૂક કરી હતી જેણે 19 માર્ચ, 2019 થી 8 જૂન, 2019 સુધી મેટ્રો લાઇન 6 ના બેસલાઈનથી પ્રભાવિત સુભાષ નગરના વિસ્તારનો સર્વેક્ષણ શરૂ કર્યું હતું. એજન્સી દ્વારા સબમિટ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. કે જ્યાં સુધી સુભાષ નગર વિસ્તારનો સંબંધ છે ત્યાં સુધી માત્ર 27 બાંધકામો મળી આવ્યા હતા જેને અસર થશે. તેઓને કાયમી વૈકલ્પિક આવાસની ઓફર કરવામાં આવી હતી.
હાઈકોર્ટે કહ્યું: “અમારા મતે, આ અરજીમાં સામેલ તથ્યોના ગંભીર વિવાદિત પ્રશ્નો છે. પિટિશનમાં કરાયેલા આક્ષેપોની સચ્ચાઈની ખાતરી કરવી શક્ય નથી કે શું આ ઝૂંપડીના રહેવાસીઓ પહેલેથી જ તેમના સંબંધિત માળખાના કબજામાં છે અને શું આ બાંધકામો MMRDA દ્વારા સર્વેક્ષણ હાથ ધરવાની તારીખે અસ્તિત્વમાં હતા કે નહીં.
આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ કી ઐસી કી તૈસી- મુંબઈમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને આપી BMCએ મંજૂરી-જાણો વિગત