Site icon

પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પવઈ લેકમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કેમિકલને તાત્કાલિક બંધ કરવાની માગણી પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. પાલિકા દ્વારા પવઈ લેકમાં જંગલી છોડને ઊગતા રોકવા તેમ જ પ્રદૂષણને નાથવા માટે આ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે. જોકે આ કેમિકલને કારણે પવઈ લેકમાં રહેલા મગરોને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો પર્યાવરણ નિષ્ણાતોએ કર્યો છે. હાલ પવઈ તળાવમાં લગભગ 40 મગરો હોવાનું માનવામાં આવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં રાફડો ફાટ્યો, આટલા લાખ પૅસેન્જરો હવે દૈનિક થયા; જાણો વિગત

પવઈ તળાવમાં જંગલી છોડોના વધતા વ્યાપને રોકવા માટે પાલિકા દ્વારા કેમિકલ છાંટવામાં આવતું હોય છે. તેને તાત્કાલિક બંધ કરવાની માગણી પત્ર લખીને કરવામાં આવી છે. આ કેમિકલને કારણે પાણીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધી જાય છે. એ પ્રાણીઓ માટે નુકસાનકારક છે. તળાવમાં મગરોની સાથે માછલી – કાચબા સહિતના અન્ય સમુદ્રી જીવો પણ છે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version