માનખુર્દ-ઘાટકોપર ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર ચાલકોની આવી મનમાની; અકસ્માત થાય છે તોય સુધરતા નથી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

શુક્રવાર

માનખુર્દ-ઘાટકોપર જૉઇન્ટ રસ્તા પર હંમેશાં ટ્રાફિકની સમસ્યા રહે છે. એના ઉપાય તરીકે પાલિકાએ બે મહિના પહેલાં ફ્લાયઓવર બાંધ્યો હતો. જોકે મહિનાભરમાં જ આ ફ્લાયઓવર પર મોટા પ્રમાણમાં અકસ્માત થવા લાગ્યા. જેથી ટ્રાફિક વિભાગે ટૂ-વ્હીલર વાહનોને ત્યાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ટૂ-વ્હીલર્સ પુલ ઉપર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને નિયમનું ઉલ્લંઘન કરે છે.

માનખુર્દ-ઘાટકોપર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે નવા ફ્લાયઓવરનું લોકાર્પણ બે મહિના પહેલાં જ થયું હતું, પરંતુ મહિનાભરમાં જ આ ફ્લાયઓવર પર ૪૦થી વધુ અકસ્માતો થવાથી કેટલાક દિવસ સુધી પુલ સમારકામ માટે બંધ રખાયો હતો. પુલનો રસ્તો સરકણો થઈ જવાથી ત્યાં મોટા પ્રમાણમાં અકસ્માત થતા હતા. તેમાં ટૂ-વ્હીલર વાહનોની સંખ્યા વધારે હતી. પાલિકાએ વાહનોનો વેગ ઓછો કરવા માટે પુલ પર ગતિ અવરોધક પણ બેસાડ્યા હતા.

રસ્તા પરના ખાડાને મુદ્દે રાજકારણ : મનસેએ મુંબઈના ખાડા વેચવા કાઢ્યા; જાણો વિગત 

જોકે ફ્લાયઓવર પર ટ્રાફિકની સમસ્યા કેટલાક પ્રમાણમાં હલ થઈ છે. છતાં આ પુલ ઉપરથી ઓછાં વાહનો જતાં હોવાનો ફાયદો લઈને ટૂ-વ્હીલર વાહનચાલકો અવરજવર કરે છે. પરિણામે આજે પણ તેમના અકસ્માત થાય છે. કેટલાક દિવસ પહેલાં એક ટૂ-વ્હીલર ચાલક પુલ પરથી ઘસડાઈને પડી ગયો હતો. ત્યાર બાદ ટ્રાફિક વિભાગે ટૂ-વ્હીલર વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે. એના માટે પુલ પર બન્ને બાજુ બોર્ડ પણ લગાવેલાં છે. તોય ટૂ-વ્હીલર વાહનચાલકો ટ્રાફિક પોલીસની નજર ચૂકીને ફ્લાયઓવર પરથી સરકી જાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More