કોરોનાની અસર: લોકડાઉન હોવા છતાં આ વર્ષે મુંબઇમાં આત્મહત્યામાં 14% ઘટાડો નોંધાયો… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

19 ડિસેમ્બર 2020

આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન મુંબઇમાં આત્મહત્યા દ્વારા 900 થી વધુ પુરુષો અને મહિલાઓના મોત થયા હોવાનું મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે. 19-30 વર્ષની વય જૂથના યુવાન પુખ્ત લોકોમાં બહુમતી (36%) પીડિતોનો સમાવેશ થાય છે, જ્યારે 10% વરિષ્ઠ નાગરિક હતા. ડેટા બતાવે છે કે માર્ચથી જુલાઇ દરમિયાન સંપૂર્ણ તાળાબંધી દરમિયાન થયેલા આત્મહત્યામાં 11 જણા મૃત્યુ પામ્યા હતાં. જો કે, લોકડાઉન હોવા છતાં, જાન્યુઆરીથી નવેમ્બર 2019 દરમિયાન આત્મહત્યાના કુલ 1,075 કેસ નોંધાયા હતાં જેની સરખામણીએ 2020માં 928 ના મૃત્યુ અર્થાત 14% ઓછા હતા. 

19-30 વર્ષના વય જૂથના યુવાન પુખ્ત વયના લોકો પર સૌથી વધુ અસર થઈ છે, કારણ કે તેમાંના ઘણા લોકો શિક્ષણ અથવા કામ બંધ થઈ જવા, દેવું વધી જવું, પરિવારોથી દૂર થવું, વિવિધ શહેરોમાં ફસાયેલા હતા. જેને કારણે હતાશામાં લોકોએ આત્મહત્યા નું પગલું ભર્યું છે. કેટલાકને તેમની કારકિર્દીનો ભોગ બનવું પડ્યું કારણ કે કંપનીઓ આર્થિક નુકસાનને કારણે બંધ થઈ ગઈ. આમ સામાજિક ટેકાનો અભાવ, એકલતા અને નાણાકીય સમસ્યાઓથી યુવા પુખ્ત વયના લોકો વધુ સંવેદનશીલ બન્યા છે ”એમ માનસ ચિકિત્સક ડોક્ટર નું કહેવું છે. 

 

મનોવૈજ્ઞાનિક અને વ્યસન મુક્તિ નિષ્ણાત ડૉક્ટરએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ મોટી સંખ્યામાં યુવાનો ડ્રગ્સ અથવા આલ્કોહોલની લતમાં લપેટાય છે, જે બાદ લોકડાઉનમાં આ ચીજો ના મળતાં આત્મહત્યા કર્યાના કેસો વધુ સામે આવ્યાં છે. 

 

જોકે, લોકડાઉનની સકારાત્મક બાજુ એ રહી કે ઘણી મોટી સંખ્યામાં પરિવારો તરફથી વધુને વધુ લોકોને સામાજિક ટેકો મળ્યો છે. જેના બદલામાં, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોથી પીડાતા વધુ લોકોએ માનસિક ડૉક્ટરની મદદ લેવાનું ઉચિત માન્યું હતું. જેને કારણે 2020માં આત્મહત્યાની સંખ્યામાં ઓછી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More