Swachhata Abhiyan : મુંબઈના મુંબાદેવી અને સંતોષીમાતા મંદિરમાં સફાઈ અભિયાન,

Swachhata Abhiyan : મુંબઈ ઉપનગરીય વિસ્તારોમાં 'સ્વચ્છ તીર્થ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલ પર મલબાર હિલ ખાતે શિમલા નગરના સંતોષી માતા મંદિરની સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પાલક મંત્રી લોઢાએ સક્રિયપણે ભાગ લીધો હતો.

by kalpana Verat
Swachhata Abhiyan cleaning campaign at mumbadevi and santoshi mata temple in mumbai

News Continuous Bureau | Mumbai

Swachhata Abhiyan :

  •  ‘સ્વચ્છ તીર્થ’ અભિયાન અને રામ અક્ષત વિતરણમાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની સક્રિય ભાગીદારી
  • મુંબાદેવી મંદિર અને સંતોષીમાતા મંદિરનાં સફાઇ અભિયાન ઉપરાંત ‘રામ જીવન દર્શન’ ગેલેરીનું ઉદ્ઘાટન

 દેશભરમાં મંદિરોની સફાઈ શરૂ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેડેલા અભિયાનનાં ભાગરૂપે મુંબઈ ઉપનગરીય વિસ્તારોમાં ‘સ્વચ્છ તીર્થ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ ( Mumbai ) માં વિવિધ સ્થળોએ મંદિરની સફાઈની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલ પર મલબાર હિલ ખાતે શિમલા નગરના સંતોષી માતા મંદિરની સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પાલક મંત્રી લોઢાએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સ્વચ્છતા અભિયાન ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પૂર્ણ થયું હતું. આગામી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં ભગવાન રામનો અભિષેક થશે.

 મંદિરોમાં સ્વચ્છ તીર્થ અભિયાન

ભાજપ ગુજરાતી સેલ મુંબઈ દ્વારા વોર્ડ નંબર ૨૧૨, ૨૧૪ અને ૨૧૫ માં મંદિરોમાં સ્વચ્છ તીર્થ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એ જ રીતે કેબિનેટ મંત્રી લોઢાએ પણ મુંબા દેવી મંદિર સ્વચ્છતા મિશનમાં સક્રિયપણે ભાગ લીધો હતો જેનું સમાપન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં થયું હતું. ૧૬ જાન્યુઆરીએ મુંબાદેવી મંદિરની સફાઈ અભિયાનમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને પાલક મંત્રી દીપક કેસરકર પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : EPFO: કર્મચારીઓ માટે આવ્યા મહત્ત્વપુર્ણ સમાચાર.. EPFOનો મોટો નિર્ણય.. હવે જન્મ તારીખ અપડેટ માટે આ દસ્તાવેજ માન્ય રહેશે નહી.. જુઓ માન્ય દસ્તાવેજોની યાદી..

લોકોને રામ અક્ષતનું વિતરણ

આ સિવાય કેબિનેટ મંત્રી લોઢાએ ઘરે ઘરે જઈને લોકોને રામ અક્ષતનું વિતરણ કરવાનું કામ હાથ ધર્યું છે. મંત્રી લોઢાએ ગિરગાંવમાં મેજેસ્ટિક શોપિંગ સેન્ટરમાં અક્ષતનું વિતરણ કર્યું હતું અને તાડદેવમાં નવજોજા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બિલ્ડિંગમાં પણ જઈને નાગરિકોને પૂજિત રામ અક્ષતા આપી હતી. ભગવાન શ્રી રામના આગમનની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે ત્યારે મંત્રી લોઢા ઘરે ઘરે જઈને તમામ નાગરિકોને દેશભરમાં ઉજવાઈ રહેલા તહેવારમાં ભાગ લેવાની અપીલ કરી રહ્યા છે.

બાબુલનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાવદેવીના બાબુલનાથ મંદિર ખાતે ‘રામ જીવન દર્શન’ ગેલેરી બનાવવામાં આવી છે. ૧૬ જાન્યુઆરીએ મંત્રી લોઢાના હસ્તે ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More