News Continuous Bureau | Mumbai
BJP Keshav Upadhye : મહિલાઓ વિશે પાયાવિહોણા અને અપમાનજનક નિવેદનો કરનારા અને છત્રપતિની ગાદીનું સતત અપમાન કરનારા કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીના નેતાઓ સામે ચૂંટણી પંચે ( ECI ) કાયદેસરની કાર્યવાહી કરવી તેવી માંગ ભાજપના મુખ્ય પ્રવકતા કેશવ ઉપાદ્યેએ કરી છે.
કોલ્હાપુર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ( Mahavikas Aghadi ) સત્તાવાર ઉમેદવાર મધુરીમારાજે છત્રપતિએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સતેજ પાટીલે તેમને સંબોધિત કરેલી ટિપ્પણી કોંગ્રેસના નેતાઓની વાત કરવાની અને વિચારવાની વિકૃત માનસિકતા દર્શાવે છે. છિંદવાડામાંથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હટાવવાની ઘટના હોય કે વિશાલગઢ પરનું અતિક્રમણ હટાવવાની ઘટના હોય, કોંગ્રેસે હંમેશા છત્રપતિની ગાદીનું અપમાન કરવાનું કામ કર્યું છે તેવી ટીકા ઉપાધ્યે કરી હતી.
આ સમાચાર પણ વાંચો : US Election Impact : અમેરિકન ચૂંટણી પરિણામોની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો..
થોડા દિવસો પહેલા ઉબાઠાના સંજય રાઉતે છત્રપતિની ગાદીના વારસદાર હોવા અંગે પુરાવા માંગીને રાજ્યના તમામ શિવપ્રેમી લોકોની લાગણી દુભાવી હતી. અરવિંદ સાવંતે ( Arvind Sawant ) શાઈના એન.સી. વિશે અપશબ્દો બોલીને માત્ર મહિલાઓ જ નહીં પરંતુ સમગ્ર લોકોને નીચાજોણું થયું છે. એક તરફ મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવો, બીજી તરફ આવું વર્તન કરવું, આ બધું કોંગ્રેસનાં ( Congress ) બેવડા ધોરણ દર્શાવે છે. તેથી, મહાવિકસ આઘાડી નાં નેતાઓ વિરૂધ્ધ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.