કોરોના દરમિયાન ઈલાજ માટે જે દર્દીઓ પાસેથી વધુ પૈસા લીધા છે તેમને પૈસા પાછા આપવાનો આદેશ. જો નહીં ચૂકવાય તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ. અહીં આવ્યો ફેંસલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

શનિવાર

 

થાણે મહાનગરપાલિકાએ થાણા વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલોને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ એ કોરોના કાળ દરમ્યાન દર્દીઓ પાસેથી સરકારી નિયમ થી વિપરીત પૈસા ઉઘરાવ્યા હોય તેમણે ફરિયાદીઓ ને પૈસા પાછા આપવા પડશે. આ સંદર્ભે અનેક હોસ્પિટલને તાકીદ કરવામાં આવી છે કે જો સમયસર પૈસા નહીં આપવામાં આવે તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અનેક દર્દીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી વધુ પૈસા વસુલવામાં આવ્યા છે.

અનેક ફરિયાદીઓ એ કરેલી ફરિયાદ મુજબ તમામ ફરિયાદી ઓના મળીને કુલ એક કરોડ ૧૪ લાખ રૂપિયા અલગ-અલગ હોસ્પિટલોએ પાછા આપવા પડશે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

આમ થાણા મહાનગરપાલિકાએ આ હોસ્પિટલો પ્રત્યે કડક વલણ લીધું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More