Site icon News Continuous Bureau | Mumbai

દહિસર, મુલુંડ અને BKCમાં બંધ થયેલા જમ્બો કોવિડ કૅર સેન્ટર ત્રીજી લહેર પહેલાં નહીં ખૂલે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈના મુલુંડ જમ્બો કોવિડ સેન્ટર, દહિસર કોવિડ જમ્બો સેન્ટર અને BKC જમ્બો કોવિડ સેન્ટર દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. BMC હાલ એનું સમારકામ કરી રહી છે. સમારકામ બાદ પણ જોકે તેને દર્દી માટે ફરી ખોલવામાં આવવાના નથી. BMCના કહેવા મુજબ આ ત્રણ સેન્ટરનો ઉપયોગ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન જ કરવાની છે.

BMCના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા પ્રમાણે આ ત્રણે સેન્ટરનો ઉપયોગ ત્રીજી લહેર આવશે ત્યારે કરવામાં આવશે. હાલ મુંબઈમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. દર્દીની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. એથી મોટા ભાગની હૉસ્પિટલોમાં પલંગ ખાલી છે. આ ત્રણ કોરોના કૅર સેન્ટર સિવાય મુંબઈમાં બીજા કોવિડ સેન્ટર પણ છે, ત્યાં મોટા પ્રમાણમાં પલંગ ખાલી છે. એથી આ ત્રણ જમ્બો સેન્ટરના સમારકામ બાદ એને બંધ રાખવાના છીએ. ત્રીજી લહેરમાં કેસ વધી જવાથી હૉસ્પિટલ તેમ જ અન્ય કોરોના સેન્ટરમાં લોડ વધી જતો જણાશે તો આ ત્રણ સેન્ટરનો ઉપયોગ ત્યારે કરવામાં આવશે, એટલે સમારકામ બાદ ત્રણ સેન્ટર બંધ જ રાખવામાં આવવાના છે.

મુંબઈમાં કેસ ઘટવાની સાથે જ ગોરેગામના નેસ્કો, ભાયખલામાં આવેલા કોવિડ સેન્ટર સહિત અન્ય સેન્ટરમાં પણ જગ્યા ખાલી છે. જો ભવિષ્યમાં આવશ્યકતા જણાઈ તો શૉર્ટ નોટિસમાં ત્રણ કોવિડ સેન્ટર ફરી ચાલુ કરાશે એવું પણ સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version